SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદભાવના ૪૩ ૪૬. તે વીતરાગને ધન્ય છે જેણે ક્ષપકશ્રેણીના માર્ગે ગતિ કરીને કર્મોના ગ્રાસ દૂર કર્યાં છે (કની રતાશ અથવા મલિનતા દૂર કરી છે), જેએ ત્રણ લેાકમા ગ ધહસ્તી સમાન છે, જેમનામા સહજભાવે ઊઠી આવેલા જ્ઞાનથી વિરક્ત ભાવ જાગ્રત થયેલા છે, જેએ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની કળા જેવા નિર્મળ ધ્યાનની ધારાએ પાતાની આત્મવિશુદ્ધિથી આર્રહણ કરીને તેમ જ સેંકડા સુકૃત્યા કરીને, અહિ ત પદની સ વિભૂતિઓ ઉપાર્જન કરીને મુક્તિના નજીકના પ્રદેશને પ્રાપ્ત થાય છે (તે વીતરાગે! ધન્ય છે) ૬ ૨. તેઓ (વીતરાગ–તીર્થંકર દેવા)ના કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનેક ગુણાદ્વારા અને તેમની સ્તુતિ કરવામા પવસાન પામેલા તેઓશ્રીના નિર્મળ આત્મસ્વભાવદ્વારા વારવાર ગાન કરી કરીને અમે આઠે ઉચ્ચારસ્થાનાને પવિત્ર કરીએ છીએ ભગવાનના શ્વેત્રને ઉચ્ચાર કરનારી જીભ છે તે જ રસને જાણનાર હાઈ ધન્ય છે એમ માનુ છું, બાકી જે જીસ નકામી લેાકકથા કરનારી હાય કે કેાઈના ભારમા અથવા વાચાળ '1 7 પણામાં મૃખી ગયેલી હેાય તે ખરા રસથી અાણુ છે એમ માનુ છુ ૪ રૂ. પર્વતના શિખરની ઉપર, એકાત વનપ્રદેશમા, ગુફાઓમા કે ઊંડા પ્રદેશમા બેસીને ધર્મ ધ્યાનમા ઉપયોગ દેનારા, સમતાગ્સથી તૃપ્ત અને ૫દર દિવસના અથના માસમાસના ઉપવાસ કરનારા સાધુએ પણ ધન્ય છે અને ખીજા જેએ જ્ઞાનવાન (સાધુઓ ) છે, : શ્રુતજ્ઞાનથી વિશાળ બુદ્ધિવાળા છે, ધર્મના ઉપદેશ આપી રહેલા છે અને જે શાત છે, દાન્ત (દમન કરનારા) છે, ઇંદ્રિયાને જીતનારા છે અને જગતમા જિનેશ્વર ભગવાનના શાસનને દીપાવનારા છે તે પણ ધન્ય છે. ઘઇ, જે ગૃહસ્થા દાન આપે છે, શીલ પાળે છે, તપ કરે છે અને ભાવનાએ ભાવે છે, જેએ જ્ઞાનદ્વારા જામેલી શ્રદ્ધાપૃર્વક એ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરે છે તે ધન્ય છે. સાધ્વીએ અને શ્રાવિકાએ જેએ જ્ઞાનથી નિળ થયેલી બુદ્ધિપૂર્વક શીલગુણુને શેાભાવે છે તે ધન્ય છે. એ સર્વને ગર્વથી હિત થઈને ભાગ્યશાળી મનુષ્યો વારવાર દરરેાજ સ્તવે છે—પ્રશસે છે. - ૪. મિથ્યાદૃષ્ટિએમા પણ પ્રધાન ગુણ ઉપકાર હાય, સાપ સત્ય વગેરે ગુણેાના વિસ્તાર હાય, ઉદારતા ( મધુરભાષિતા ) હાય, નિયત્રણના પ્રકાર હાય તે તે માર્ગાનુસારી હાઇને અમે તેની પણ અનુમેાદના કરીએ છીએ. ૬ ૬. હું જીભ ! તુ સારી રીતે પ્રસન્ન થઈને સારા નસીખદાર પ્રાણીઓના સુદર ચરિત્રનુ ઉચ્ચારણ કરવામાં તત્પર બની જા અને મારા કાનેા બીજા કેાઈની કીર્તિના શ્રવણ તરફ રસિકતા ખતાવવા દ્વારા આજ સારા, સાચા કાનેા થઈ જાઓ. અન્યની પાસે અઢળક લક્ષ્મી જોઈ મારા નેત્રો આનદને પ્રાપ્ત કરે! આ સસારમાં તમારા જન્મનુ એ જ પ્રધાન ફળ છે ૪ ૭. પારકાના ગુણા વડે પ્રમેાદ પામીને જેએની બુદ્ધિ સમતાસમુદ્રમા મગ્ન બને છે તેમા મનની પ્રસન્નતા ખૂબ શેાલે છે તેમ જ તેનામા તેજ ગુણા ખૂખ નિર્માંળ થાય છે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy