SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ બોધિદુર્લભભાવના ૩પ૭ અનેક છે તો એ પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જ મરણ પામે છે એટલે પર્યાપ્ત થવુ એ પણ દુર્લભ છે પાચે ઈદ્રિયવાળા શરીરમાં આવ્યા પછી પણ આ રીતે સર્વ મનની મનમાં રહી જાય તેમ છે અને પર્યાપ્તત્વ મળે પણ સન્નિત્વ ન મળે તો પણ પચે પ્રિયપણું નકામુ છે અસણી પદ્રિય મનુષ્ય જે મળમૂત્રાદિમાં ઉત્પન્ન થાય છે તેને મન હેતુ નથી પર્યાપ્તિ પાચ જ હોય છે. એવા મન વગરના પચે ક્રિયપણાને સાધ્યદષ્ટિએ વિશેષ અર્થ નથી. એમ કરતા ત્રસ પણ મળ્યું, પચે ક્રિયપણુ ને પર્યાપ્તત્વ મળ્યું, સજ્ઞિત્વ પણ મળ્યું, પર તુ આયુષ્ય તદ્દન નાનુ -અલ્પ હોય તો પાછુ ચકડોળે ચડવાનું થાય છે સ્થિર ને દીર્ઘ આયુષ્ય હોય તો કાંઈ પ્રકાશ સાપડે, રસ્તો દેખાય અને આદર પણ થાય. ! એ સર્વ મળે તો પણ જળચર, સ્થળચર, બેચરમા જાય અથવા નારક થાય કે દેવ થાય તો ત્રાસ ને પરાધીનતા જળચરાદિને, વેદના નારકોને અને અતિ સુખવિલાસ દેને માર્ગ પર આવવામાં વિન્નરૂપ છે મનુષ્યત્વ – મનુષ્યનો ભવ મળો ઘણો મુશ્કેલ છે આવી રીતે નિગોદથી માંડીને અનેક ચકોમાથી પસાર થઈને સન્ની પચે ક્રિય અને સ્થિર આયુષ્ય સાથેનુ મનુષ્યત્વ મળવુ મહામુકેલ છે અહી દશ દષ્ટાતોની સાર્થકતા સમજી લેવી હજુ બધિરત્નની આડે તો ઘણી હકીકતો છે, પણ જેમ તેમ કરીને મહામુસીબતે આપણે મનુષ્યત્વ સુધી આવ્યા છીએ. ઘ છે. મનુષ્યને ભવ મળે ત્યાં પણ મહામેહનું સામ્રાજ્ય વતે છે પ્રાણી પ્રેમમાં પડી જાય, રસિકતામાં લેપાઈ જાય, ગરીબાઈમા દબાઈ જાય, અભિમાનમાં ચઢી જાય, ભેગવિલાસમાં આસક્ત થઈ જાય, નકામી–અર્થવગરની ખટપટમાં અટવાઈ જાય, મોટાઈમાં તણાઈ જાય, શરમથી લેવાઈ જાય, હાસ્ય, શોક કે ભયમાં લીન થઈ જાય કે પૈસા એકઠા કરવાના કામમાં પડી જાય તો મારુ-તારુ કરવામાં આ ભવ હારી જઈ અગાધ સ સારકપમાં પાછો અટવાઈ જાય છે. અથવા અજ્ઞાન–-મિથ્યાજ્ઞાનમાં પડી જઈ પ્રકાશ પામતું નથી અને પ્રકાશની પાસે આવે તો તેને ઓળખતો નથી અલ્પ જ્ઞાનથી એ કોઈ વાર અભિનિવેશ કરી બેસે છે અને જ્યાં ત્યા ભરાઈ પડે છે. કેટલીક વાર શાકાઓ કરી માર્ગભ્રષ્ટ થાય છે અને ઘણીખરી વાર તે આખ જ ઊ ચી કરતો નથી પોતાના નાના સર્કલના સ બ ધને દુનિયા માની એમાં મસ્ત રહે છે અને જરા પણ પ્રગતિ કર્યા વગર આવ્યો હોય તેવો જ પાછો ચાલ્યા જાય છે. મોહ અને મિથ્યાત્વ તે અજ્ઞાનમાથી ઉદ્દભવે છે, પણ માયા તે ભારે આકરી છે. પરવચન કરવાની વૃત્તિ અને પિતાને પણ છેતરે છે ન હોય તેવા દેખાવાનો પ્રયાસ કરતા ઘણી વાર પિતામાં કાઈ તો જરૂર છે જ એમ પ્રાણી માનતો થઈ આત્મવચન કરે છે. ગુણપ્રાપ્તિ કરવાને બદલે ગુણી હોવાનો દેખાવ કરવાની ઈચ્છા થાય છે અને દ ભ દાખલ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy