SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ બેધિદુર્લભભાવના ૩પપ બધિરત્નનો ખરો લાભ તો હવે આવે છે એ “બ્રહ્મ-અદ્વૈત-પ્રગુણ–પદવી પ્રાપક છે બ્રહ્મ એટલે શુદ્ધ નિર જન ચેતન્યસ્વરૂપ અને અદ્વૈત અતિવિશિષ્ટ એવી ઉત્કૃષ્ટ ગુણોની પદવીને અપાવનાર આ બધિરત્ન છેમતલબ કે જે તમારે બ્રહ્માટૅત સાધવુ હોય તો બધિરત્નને સેવો બધિરત્નને સેવવુ એટલે મહામુસીબતે મળે તેવી એ ધર્મસામગ્રીઓ અને જ્ઞાનરત્નને પ્રાપ્ત કરી પ્રગતિ કરવી, આત્મવિકાસ સાધવો અને તે સ બ ધમાં ખાસ સાવધાન થઈ રાગદ્વેષના કોઈપણ પ્રપચમા પડી જવું નહિ. બધિરત્નને દીપક-પ્રકાશ સાથે હોય એટલે માર્ગ તો જરૂર સૂઝી આવશે. માત્ર તેનો લાભ લેવા પૂરતો દૃઢ નિશ્ચય અને વીર્ય–શક્તિસ્કુરણની આવશ્યકતા રહેશે. આ સ બંધમાં આગળ ઘણું વક્તવ્ય છે. પ્રથમ બેધિરત્નની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે તે હવે બતાવે છે તેને યથાર્થ પ્રકારે સમજીને તેની સેવા કરો, તેને સ્વીકાર કરે, તેની સાથે વ્યવહારુ ચરૂપે અંક્ય સાધો, એ વાત પ્રથમથી જ કહી છે, હવે તે પ્રાપ્ત થવામાં મુસીબતને રજૂ કરે છે. ' 7 ૨, ઉત્તરોત્તર દુર્લભપણુ બતાવતાં પ્રથમ તો આ પ્રાણી અવ્યવહારરાશિમાંથી અન તકાળ સુધી નીકળતો જ નથી એ વાત બતાવે છે. અવ્યવહારરાશિ એટલે સૂકમનિગોદ આકાશના અસ ખ્ય પ્રદેશ પર એક અને ત્યાં જ બીજા અસ ષ ગોલકે છે દરેક ગોળામાં અસ ખ્યાતી નિગોદ છે એને આશ્રયીને પ્રત્યેક નિગાદમાં અન ત જીવો રહેલા છે એક સેયના અગ્રભાગ પર અસખ્ય કાકાશના પ્રદેશ હોય છે એવી એની સૂક્ષ્મતા છે એ નિગેદના જીવો આપણા એક શ્વાસોશ્વાસ પ્રમાણ કાળમાં સાડાસત્તર ભવ કરે છે એટલે કે અઢાર વાર જન્મે છે અને સત્તર વાર મરે છે એનું અગુલના અસ ખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે અને તે શરીર ચર્મચક્ષુથી અદશ્ય હોય છે આવી અસ ખ્યાતી નિગદ અનાદિ કાળથી સર્વત્ર ચૌદ રાજલોકમાં રહેલી છે એમા જ્યાસુધી જીવ રહે છે ત્યા સુધી તે “અવ્યવહારરાશિ” કહેવાય છે. એમા કોઈ વખત અકામ નિજેરા થઈ આવે તો પ્રાણી બાદર અન તકાયમા (સાધારણ વનસ્પતિમા) આવે છે એમાં પણ એક શરીરમાં અન ત જી હોય છે સૂક્ષ્મ નિગેદમાં અને એમા એટલે જ ફેર છે કે બાદરનું અને તે જીવસ કીર્ણ શરીર ચર્મચક્ષુથી દેખાય છે અહી પણ એ જીવ અન ત જન્મમરણ કરે છે એ હવે વ્યવહારરાશિમાં આવ્યો કહેવાય છે એને સહજ વિકાસ (Evoluuon) થયો ગણાય છે. ત્યાર પછી એ પાછો સૂમ નિગોદમાં જાય તે પણ તે વ્યવહારરાશિયો ગણાય છે. આવા અનેક જન્મ-મરણ તે નિદરૂપ ઘોર અ ધકારમાં થયા કરે છે આમાથી નીકળવાનો એનો વારે ક્યારે આવે? એની પરિણામશુદ્ધિ ક્યારે થાય ? અને એમાથી એ કયારે બહાર નીકળે ?
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy