SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શાંતસુધારસ અને વેરઝેર અહી રહી જાય છે એ રીતે અનેકને મૂકી જતા જોયા અને આપણે પણ જરૂર જવું છે, છતા અધ્યાસ છૂટતો નથી અને પ્રસ ગ આવે ત્યારે આપણે પણ બાય ચઢાવી ટટ્ટાર થઈ જઈએ છીએ, એ વાતની ના પડાય તેમ નથી આ સર્વ રમત કઈ જાતની છે તે ખાસ વિચારવા યોગ્ય છે. ઉપાધ્યાયશ્રીએ આખી ભાવનાનુ રહસ્ય બહુ યુક્તિસર બતાવ્યું છે. એના બે સ્થાન મુખ્ય છે પરિચયમા છે (૭) શ્લોક અને અષ્ટકની છેલ્લી પાંચ ગાથાઓ. પ્રથમ મુદ્દો એ છે કે સમજુ માણસ-વિશિષ્ટ જ્ઞાનવાળો પ્રાણી આ લોકભાવના ભાવે તો એને માનસશ્ચર્ય પ્રાપ્ત થાય છેઆ કેમ બને ? લોકપુરુષ એ કાઈ ચિત્ર નથી, એ તો ખ્યાલ આપવા માટે તૈયાર કરેલ ચિત્ર છે, પુરુષાકાર છે પણ એ લોક નાનો નથી. એની લબાઈ પહોળાઈને ખ્યાલ બરાબર કરવામાં આવે અને એની ઊંચાઈ વિચારવામાં આવે તે અક્કલ છક્કડ ખાઈ જાય તેમ છે એ લોક, એના સ્થાનો, એમાના જીવો, એના જ ગલો, એના શીત પ્રદેશો, એના ઉષ્ણ પ્રદેશો, એના વિભ, એના દુ છે, એના કારાવાસે, એના રાજભવનો, એના માર્ગો, એની નદીઓ, એના સરોવરો, એના પર્વત, એના જળચરો, એના સ્થળચર, એના ખેચ, એના સર્પો, એની વનસ્પતિ ઈત્યાદિ સર્વને વિચાર કરતા અલ હાથમાં રહે તેમ નથી એની વિચારણું કરવામાં ખાસ નિગોદનું સ્વરૂપ અને તેમાં રહેતા જીવની અન તતાને ખ્યાલ આવે ત્યારે આકાશની અન તતા અને જીવસ ખ્યાની અન તતાને ક્યાસ કરી શકાય છે અસખ્ય આકાશપ્રદેશને અવગાહી એક ગોળા રહે અને એવા અસખ્ય ગોળા પૈકી એકેક ગળામાં અસખ્ય નિગોદ રહે અને એકેક નિગોદમાં અને તે રહે એનો ખ્યાલ કરતાં એવે કઈ સ્થાનકે આપણે ભરાઈ પડયા હોઈએ તો આપણી શી દશા થાય તે વિચારવા જેવું છે. આ અનેક સ્થાનોનો વિચાર કરતાં મનમાં જે અસ્થિરતા હોય છે અને છેડા વખતમાં આ મેળવુ કે આ ખાઉ, પણે જઉ કે આમ દેડુ–એવા એવા અવ્યવસ્થિત વિચારો આવતા હોય તે દૂર થઈ જાય છે અને મનમાં એક પ્રકારની સ્થિરતા આવતી જાય છે અતિ વિશાળ દ રાજલોકમાં પોતાના સ્થાનની અલ્પતા મોટા માધાતાને પણ મૂઝવી નાખે તેમ છે, તો તું તે કોણ? તારી ગણતરી શી? તારુ સ્થાન કેટલું નાનું? અને વિશ્વના ક્યા ખૂણામાં આવ્યું છે ? આવી વિચાર સ્થિરતા થતા અધ્યાત્મસુખની પ્રસૂતિ થાય છે અને એ સુખનો આનદ અજબ છે. એ મને રાજ્ય અનોખા છે, એની વૈભવસ પત્તિ અલૌકિક છે ઉપાધ્યાયજીને આ ભાવનાર પ્રથમ દૃષ્ટિએ જ અતિ આકર્ષક છે, તન્મય કરી દે તેવે છે અને અતિ પ્રૌઢ ભાષામાં ચિતગયો છે એમનો બીજો પ્રવાહ જીવ અને પુગળના સબ ધથી થતા વિવનો છે. એ પ્રસંગ અતિ પ્રાસાદિક છે. આ લોકના વિવિધ આકારે બતાવી, તેની રમણીયતા અને તેની બીભત્સતા અને બરાબર બતાવેલ છે ત્યારપછી એના અનેક સ્થાનકે એ દેખાતી વિચિત્રતા હદયને દ્રવિત કરી દે તેવી છે આપણે સંસારમાં ફરનારા છીએ અને અહી મનુષ્યલોકમાં જે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy