SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શાંતસુધારી નથી કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય છે ? આ સર્વ ભાવે લોકમાં દેખાય છે એમા નારકોના ત્રાસ ઉમેરીએ એટલે વર્ણન વધારે ને ભીર બને છે. આવા અનેક પરસ્પર વિરુદ્ધ દેખાવોથી ભરપૂર આ લોક છે. ૭. ઉપરની હકીકતમાં કાઈ નવીન નથી સર્વ પ્રાણીઓને આવા અનેક ભાવને અને અનેક સ્થાનોનો અનેકવાર પરિચય થયેલ છે અનાદિકાળથી આ જીવ – પ્રત્યેક સંસારી જીવ રખડ્યા કરે છે એ એક સ્થાનકે ઉત્પન્ન થઈ ત્યાં ઘરબાર વસાવે છે, શરીરને પિતાનું માને છે, મનુષ્ય હોય તે છોકરા, છાયા, કુટુંબ-કબીલાવાળે થાય છે અને પાછા મમત્વ છેડીને (ખુશીથી અને ઘણુ ખરુ પરાણે) વળી બીજે ઘરબાર જમાવે છેશરીરને તો એ પિતાનુ જ ગણે છેશાસ્ત્રવિદે કહે છે કે “એવી કઈ જાતિ નથી, એવી કોઈ ચાનિ નથી, એવું કોઈ સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી ત્યા આ જીવ અનેકવાર જન્મ્ય ન હોય કે અન તવાર મરણ પામ્યો ન હોય” આવી રીતે જન્મ-મરણના ચક્કરે ચઢેલા સંસારમાં ફરતા સર્વ પ્રાણીઓને આ લોકનો, તેના સ્થાનને, તેના ભાવોને અને તેને હર્ષ-વિષાદોને ચિરકાળથી અનેક વખત પરિશ્ય થયેલો છે. એણે સર્વ સ્થાનોમાં આંટા માર્યા છે, એણે સર્વ નદીના પાણી પીધા છે, એ પર્વત પર્વત અને જગલે જ ગલ રખડ્યો છે, એણે પાર વગરના ભેગે ભગવ્યા છે, એણે ઠંડી-ગરમીના અપાર દુ ખ રાહન કર્યા છે, એણે પરાધીનતાએ ભૂખતરસ સહી છે, એણે માણવામાં બાકી રાખી નથી અને રડવામાં પણ બાકી રાખી નથી ૮. હવે જે આ આટાઓ મારવાથી થાક્યા હો, હવે તમને એ આટા મારવામાં દુ ખ જણાતુ હય, જે તમને એ ચક્રપરિભ્રમણનો ક ટાળો આવ્યો હોય તો તમારા રસ્તા બદલો, તમે તમારા આદર્શો ફેરવી નાખો અને તમારી ચર્ચાની આખી દિશા બદલી નાખો તમે અત્યાર સુધી ભૂલ્યા, પરને પોતાનું માન્યુ, શેડા વખતના વાસને ઘરના ઘર માન્યા અને પંખીના મેળાને કુટુંબ માન્યુ. તમારે જવું છે કલકત્તે અને તમે રસ્તો લીધે છે મદ્રાસને આ વાત નભે નહિ આમા કાઈ તમારા આટા બધ થાય નહિ અને આમાં કાઈ સાચે માગ સાપડે નહિ. જો તમારે એ પરિભ્રમણનો છેડો લાવવો હોય તો તમારા આદર્શ તરીકે જિનેશ્વર દેવનું સ્થાપન કરે એમને નમે એટલે એને તમારા હૃદયચક્ષુ સન્મુખ રાખે એમણે માર્ગ પર ચડી પોતાનો રસ્તો શોધ્યો છે અને તે આદશે તમે ચાલશે તે તમારા રસ્તા સુધરી જશે પ્રણામ કરવામાં બે વાત છે એક આદર્શ તરીકે તેમને સ્વીકાર, અને બીજુ તેમના બતાવેલા માર્ગે વહન એ ભગવતે શાતસુધારસના પાનનુ દાન કરીને અનેક પ્રાણીઓને રક્ષણ આપ્યું છે. જે પ્રાણીઓ સાતસુધારસના પાનનુ દાન ઝીલે છે, જે ભગવાનના એ અતિ શાત ઝરણાને ઝીલવાને વિનય કરે છે તે પ્રાણ આ રખડપટ્ટીથી બચી ગયા છે એવા અનેક પ્રાણીના
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy