SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ શાંતસુધારસ આયુષ્ય પ્રમાણ જઘન્ય દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પ્રથમ નરકના નારકનુ એક સાગરપમ, બીજીનું ત્રણ સાગરોપમ, ત્રીજીનું સાત સાગરોપમ, ચોથીનું દશ સાગરોપમ, પાંચમીનું સત્તર સાગરોપમ, છઠ્ઠીનું બાવીશ સાગરોપમ અને સાતમીનું તેત્રીશ સાગરોપમ છે. પ્રથમનુ ઉત્કૃષ્ટ તે દ્વિતીયનું જઘન્ય એમ ઉત્તરોત્તર સમજી લેવું - સાતમી નારકીની પહોળાઈ સાત રજુપ્રમાણ છેપ્રથમ નરકથી તે સાતમી નરક સુધી ઉત્તરોત્તર લખાઈ-પહોળાઈ વધતી આવે છે અને છેવટ લોક પુરુષના પગ આગળ ખૂબ લાબી -પહોળી થાય છે. સાતમી નારકીની નીચે પણ ઘોદધિ, ઘનવાન અને તનુવાત આવે છે અને છેવટે આકાશ આવે છે ત્યા લોકો છેડે આવે છે. એ નારકી છત્રાકારે છે. એક ઊ ધા છત્ર ઉપર બીજુ નાનું છત્ર મૂકયુ હોય એ રીતે છે. એમાં મેટામાં મેટું છત્ર નીચે છે. ઉપર નાનું નાનું થતું આવે છે. અથવા રામપાત્રશરાવલાને ઊ ધુ સૂર્યુ હોય તેવો આ અધોલોકને આકાર છે, સાતે નરકમાં નરકાવાસ છે તેની કુલ સંખ્યા ૪૮ લાખની છે. નારકનાં દુખોનું વર્ણન કરવું અશક્ય છે, વાચતા ત્રાસ ઉત્પન્ન થાય તેવું છે. એના રહેવાના સ્થાને અને કલહ એવા હોય છે, એની ભૂમિકા એવી શીત ને ઉષ્ણ હોય છે અને એના વર્ણન એવા આકરા છે કે વાચતા અરેરાટી ઉદભવે. આ અલોક છે. આ અધોલોકમાં પ્રથમ નારકીનો પૃથ્વીપિડ ૧૮૦૦૦૦ જેજન છે. તેમા ઉપરનીચે એક–એક હજાર જેજન મૂક્તા બાકીના ૧૭૮૦૦૦ યોજનમા તેર પ્રતર છે અને ૧૨ આંતરા છે. એમાંથી વચ્ચેના દશ આતરામાં ભુવનપતિ દેના સ્થાને છે. એના દશ પ્રકાર છે એના વીશ ઈદ્રો છે. આ એક જાતિના દેવો છે પણ એમના સ્થાન અધેલોકમાં છે, ઉપર જે એક હજાર જેજન મૂકયા તેમાથી ઉપર-નીચે સો–સે ભોજન મૂકતાં વચ્ચેના ૮૦૦ જેજનમાં વ્ય તર દેવના નિવાસસ્થાન છે અને ઉપરના સો જેજન મૂક્યા તેમાં ઉપરનીચે દશ-દશ જેજન મૂકી દેતા બાકીના ૮૦ જેજનમા વાણવ્યતર દેવોના નિવાસસ્થાન છે. વ્યતર તિટ્ઝલેકમાં પણ અનેક સ્થાને રહે છે વ ૨. અલોકની ઉપર નિગલેક આવે છે એને વિસ્તાર એક રજુપ્રમાણ છે. એમાં અસખ્ય દ્વીપસમુદ્ર છે એના ઉપરના ભાગમાં તિષ્યક છે. પુરુષની પાતળી કમરને જાણે કંદરે પહેરાવ્યો હોય તેવું સૌન્દર્ય તિર્થોલોક આપે છે અધોલેક ખૂબ પહોળો અને ચો છે, ત્યારે આ તિર્યલોક ઊચાઈમાં ૧૮૦૦ જન છે. જંબુદ્વીપની વચ્ચે મેરુપર્વત છે તે જમીનમાં એક હજાર જેજન છે. બહાર ૯૯૦૦૦ જેજન છે. એની સભૂતળા પૃથ્વી પરની શરૂઆતમાં ચારે દિશાએ મળી ચાર અને એની ઉપર બીજા ચાર એમ આઠ રુચકપ્રદેશ છે ત્યાથી ૯૦૦ જેજન ઉપર અને નવશે જે જન નીચે તિર્યમૂલક છે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy