SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શતસુધારસ અપાયુ છે એ દુર્ભાગ્યનો વિષય છે, વણ એના મૂળ મુદ્દાઓ તે આખા એતિહાસિક કાળમાં અવિચ્છિન્ન પ્રવાહરૂપે વગર તકરારે એક રૂપે જ ચાલુ રહ્યા છે. આવા ધર્મને – આત્મસ્વરૂપ પ્રકાશના ધર્મને – સર્વ ધર્મોને સમજનાર ધર્મને ઉદેશીને ઉપાધ્યાયશ્રી કહે છે કે “હે ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર મારો ઉદ્ધાર કર, ઉદ્ધાર કર. મને આ સંસારના ચકાવામાંથી ખસેડી મોક્ષમ દિરમાં લઈ જા અને હમેશને માટે મને આનદ થાય તેમ કર. એ ધર્મ કેવો છે? તેને માટે આ ધ્રુવપદમાં સાત વિશેષણો વાપર્યા છે તે પ્રત્યેક બહુ સુંદર છે. આગળ પણ બીજા સબોધન આવવાના છેકુલ બાર વિશેષણો ને સાધન છે આપણે આ મહાન ધર્મને ઉદ્દેશીને કહેલાં સ ધનરૂપ વિશે પણ વિચારી જઈએ – (૧) “ માર્જિનિતિની દરેક સ ધન ધર્મને ઉદેશીને છે. હે મગળકમળાકેલિનિકેતન ! એ પ્રથમ સ બેધન છે. મંગળ એટલે આન દમહોત્સવ, ઈષ્ટપ્રાપ્તિના હેતુઓ. આ મગળ શબ્દની વ્યાખ્યા પર શ્રીદશવૈકાલિકસૂત્રની ટીકામાં તથા શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં અને આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ કરેલી વૃત્તિમાં એના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ પ્રમાણે ચાર વિભાગ પાડી ખૂબ વિવેચન કર્યું છે. આપણે સ્થળસ કેચને કારણે એ વિવેચનમાં ન ઊતરી શકીએ ધર્મ સદા માલિક છે, ઈચ્છિત વસ્તુને આપવાનો હેતુ છે અને તારણહાર છે. ધર્મ મ ગળરૂપ એ કમળા-લક્ષ્મીને ક્રીડા કરવાનુ મદિર છે મતલબ ધર્મ મ ગળલકમીનુ કીડાસ્થાન છે. ધર્મ સદા માગલિક હાઈ એ જ્યા હોય ત્યા મ ગળલક્ષ્મી ક્રીડા કરે છે, ત્યા લીલાહેર થાય છે અને સદા આનદ વતે છે એવા એ મ ગળકમલાના કીડામદિર ધર્મ ! તુ મારે ઉદ્ધાર કર આ યોજના સર્વ સ બોધનેમા કરવી (૪) વ તન ધર્મનો વાવટે કરુણાનો છે સર્વ જીવ પર દયાભાવ, અભયભાવના એ ધર્મ છે ધર્મના મદિર ઉપર કરુણાનો સફેદ ઝડો નિરંતર ઊડે છે એના મંદિરમાં જે આવે તે નિર્ભય થઈ જાય છે તીર્થ કરના ચાર માટે ઉપનામોમા એક “મહામાહણ” ઉપનામ છે એના ધર્મચક્રમાં કરુણાનો ઉલ્લેખ વ્યક્ત થાય છે હે કરુણાકેતન ધર્મ ! મને પાળ, મને પાળ () ધીર” અવિચલિત, મજબૂત સમુદ્રને ધીર’નું ઉપનામ અપાય છે વિશિષ્ટ નાયક ધીર અને વીર હોય છે પરોપકારપરાયણ એકચિત્તવાળાને ધીર’ કહેવામા આવે છે. ધર્મમાં વિશિષ્ટ વિવેક અને વિચક્ષણતા હોય છે એ સર્વ ધીર' શબ્દથી અનુદર્શિત છે. હે વીર ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર (a) "શિવકુવાધન' મેક્ષરૂપ મહાઆનદ આપવામાં પ્રવીણ ધર્મ બરાબર સાધ્યો હોય તે તે પર પરાએ મોક્ષ આપવાનું સાધન બને છે. આ દષ્ટિએ ધર્મ પર અગાઉ વિવેચન થઈ ગયુ છે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy