SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ભાવના :: ગેયાષ્ટકપરિચય ધ્રુવપદ: ધર્મની વ્યાખ્યા કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે તુતિવતનાત્ ધાયલીતિ ધર્મ એટલે દુર્ગતિમા પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ. તેઓ ધર્મની જે વ્યાખ્યા કરે છે તે શુભ અનુષ્ઠાન અને સયમમા આવી જાય છે અહિંસા,સ યમ અને તપ એ ત્રણ શબ્દમા ધર્મની કુલ ખાખતા આવી જાય છે એ ઉત્કૃષ્ટ મ ગળ છે, જાતે મગળમય છે અને પ્રાણીને મ`ગળમય બનાવે છે. પ્રાતે મનુષ્યને દેવ બનાવી પરમાત્માપદ પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ છે આવા ધર્મ ઉપર જેનું મન નિરતર રહે છે તેને દેવતાએ પણુ નમે છે, દેવતાએ નમે એમા કાંઇ નવાઈ નથી. કારણ કે અહિંસા, સયમ અને તપ એમા જ ધર્મનું સર્વ તત્ત્વ સમાયેલુ હેાવાથી તે સ ઇષ્ટસિદ્ધિપ્રદ છે. - આવા ધર્મને શ્રી વીતરાગદેવે પ્રકાશ્યા છે, ઉથ્યા છે અને ગણધરાએ સૂત્રામા ગૂંથ્યા છે. એમા પરસ્પર વિરાધ નથી, એમા આત્માનુ સ્થાન અપૂર્વ છે એમા અપેક્ષાવાદ સર્વાં મતમતાતાને અ શસત્યનુ મહાસ્થાન અપાવે છે. એમાના પ્રમાણુવાદ સત્યાને કે દ્રસ્થ કરે છે, એના સ્યાદ્વાદ અનેક દૃષ્ટિષિ દુઓને સ્થાન આપે છે, એના કવાદ, ગુણુસ્થાનક્રમારાહ, નિગેાદના સિદ્ધાન્ત અને વિકાસવાદના સૂત્રેા અપ્રતિહેત છે ધમની પરીક્ષા સુવર્ણની પેઠે ચાર પ્રકારે કરવાની છે સાનાને કસેાટી પર ઘસવામા આવે એ પ્રથમ પરીક્ષા (નિઘણુ), એના પર કાપ મૂકવામા આવે તે ખીજી પરીક્ષા (ઇંઢ), એને અગ્નિમા ગરમ કરવામા આવે તે ત્રીજી પરીક્ષા (તાપ), એને હથેાડીથી ટીપવામા આવે તે ચેાથી પરીક્ષા (તાડન), સાનાની પરીક્ષા આ ચાર રીતે થાય છે તેમ ધર્મની પરીક્ષામા પણ ચાર ખાખતા જોવાની હાય છે (૧) એને ઉપદેશક વગર કેવા છે? એનુ વતન–ચારિત્ર કેવુ છે? એ પ્રથમ (૨) એનુ જ્ઞાન કેવુ છે? એમા પરસ્પર વિરોધ છે કે નહિ? તે દ્વિતીય (૩) એ ધર્મમા આચાર કેવા ખતાન્યેા છે ? તે તૃતીય (૪) અને તેના યાગ સમાધિમા કેવા છે? તે ચતુર્થાં ચાર પ્રકારની પરીક્ષા પર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિના અષ્ટકની પ્રથમ શ્લાકની ટીકામા ખૂબ વિસ્તારથી વર્ણન છે તે વિચારવા ચાગ્ય છે આ સ ખ ધી પ્રચલિત કાવ્ય યાદ કરવા જેવુ છે यथा चतुर्भिः कनकं परिक्ष्यते, निघर्ष णच्छेदनतापताडनै. । तथा च घर्मो विशदोपदेशकै श्रुतेन शीलेन समाधिभावतः ॥ આને આશય ઉપર સ્પષ્ટ કહેવાઈ ગયા છે. એના ઉપદેશકેા ભવભીરુ છે, એના પ્રણેતાએ ત્યાગી છે, એને ઇતિહાસ ઝળકતેા છે અને એમા મેાટા વિભાગના ભેદા તન સામાન્ય અને બુદ્ધિગમ્ય હાવા છતા કાળખળે ઉગ્ર રૂપ ધરી રહ્યા છે, પણ એના મૂળ મુદ્દામા તફાવત જરા પણ નથી સાધનધર્મના તફાવતને વચગાળાના વખતમા અટિત મહત્ત્વ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy