SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મભાવના ૨૮ ૯ મારાપણાની–સ્વામિત્વની બુદ્ધિને ત્યાગ કરે. ૧૦. વિષયવાસનામા ન પડતા યોગશક્તિ ખીલવવી. આ દશે ધર્મોને ખૂબ વિગતથી અનેક પ્રકારે સમજવા, વિચારવા યોગ્ય છે. એના સામાન્ય-વિશેષ રૂપમાં ખૂબી એ છે કે એમા પાચે વ્રતોનો તથા કપાયન અને વેગના સવરનો સમાવેશ થઈ જાય છે એને સર્વથા સ્વીકાર થાય તો અતિ ઈષ્ટ છેદેશથી–અશથી પણ અમલરૂપે સ્વીકાર ઈષ્ટ છે એ શ્રમણ એટલે સાધુના ધર્મો છે એમ ધારીને સાધુ ન થયા હોય તેમણે તેને છોડી દેવાના નથી વેશ કરતા પણ વધારે અગત્ય વર્તનરૂપ ચારિત્રને આપવાની હોઈને એને યથાશક્તિ સ્વીકાર સર્વ અવસ્થામાં ખાસ કર્તવ્ય છે અને એમા પ્રગતિ સાધ્યને માર્ગે લઈ જઈ અને તે સાધે પહોંચાડનાર છે એ વાત લક્ષ્યમાં રાખવી. રૂ ધર્મનો એક પ્રકાર દાન, શીલ, તપ, ભાવરૂપ પ્રથમ ગાથામાં જે, બીજી ગાથામાં એનો “ચારિત્ર' વિભાગ છે. હવે ધર્મ એટલે વસ્તુસ્વભાવ વન્યુ ઇમો કઈ પણ વસ્તુને સ્વભાવ તે તેને ધર્મ કહેવાય છે બરફ ઠડી આપે તે તેનો ધર્મ છે, પાણી તૃષાને છિપાવે તે પાણીને ધર્મ છે, વસ્તુને ગતિ આપવાનું કામ ધર્માસ્તિકાય કરે છે તે તેનો ધર્મ છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ પિતાના મૂળ સ્વભાવમાં વતે તે તેને ધર્મ છે આ દષ્ટિએ વિચાર કરીએ તે આત્મા પિતાના સ્વભાવમાં વતે તે તેનો ધર્મ છે અને સ્વભાવમાં ન વર્તતા વિભાવમાં પડી જાય તે તેટલે અંશે તેની ધર્મયુતિ થાય છે ચેતનને સ્વભાવ શું છે અને વિભાવ ક્યા છે તે પર અત્ર વિવેચન કરવું અસ્થાને છે. અત્ર ધર્મ કેમ થાય તેની વિચારણામાં એના સ્વભાવને સ્થાન છે તે ધ્યાનમાં રાખીએ ' મુદ્દાની વાત એ છે કે દરેક ચેતન કે અચેતન પદાર્થ પિતાના સ્વભાવમાં રહે તે તેનો ધર્મ છે. સ્વભાવ એ જ ધર્મ છે, અને સ્વભાવવિરુદ્ધ વર્તન થાય તે ધર્મને નાશ તેટલા પ્રમાણમાં થાય છે. આ હકીકત આપણે કુદરતમાં જોઈએ તો ત્યાથી પણ તેને અંગે અનેક દષ્ટાતે મળી આવશે દાખલા તરીકે સૂર્યનો સ્વભાવ લોકોને પ્રકાશ આપવાનો છે ચદ્રનો સ્વભાવ પ્રકાશ સાથે શાતિ આપવાનું છે. સૂર્ય એના નિયમ મુજબ દક્ષિણાયન, ઉત્તરાયણના ક્રમે નિર તર ઊગે છે અને પ્રકાશ આપવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે ચાદ્રમાસની ગણતરી પ્રમાણે ચદ્ર ઊગે છે અને પિતાની સ્નાથી જગતને શાતિ આપે છે અને સ્વભાવ વિશ્વ ઉપર ઉપકાર કરવાનો છે અને એ ઉપકારકાર્ય સૂર્ય અને ચ પિતા પોતાના સ્વભાવ અનુસાર કરે છે વરસાદના અનેક સ્વભાવમાને એક સ્વભાવ જગતને શાંતિ આપવાને છે સપ્ત ઉન્ડાળાના તડકાથી લોકો અને આખી પૃથ્વી બળ બળું થઈ રહી હોય છે જ્યારે ૧૧૦, ૧૧૨ કે તેથી વધારે ડીગ્રી ગરમી પડતી હોય અને શરીર પર પાતળુ ખાદીનું પહેરણ પણ આકરુ લાગતુ હોય, ત્યારે કાળક્રમે પૃથ્વી ગગનમ ડળવ્યાપી વરસાદ વરસીને શાંતિ આપે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy