SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૭ નિજભાવના | (૩) વિપાકવિચયકર્મો કેવા કેવા ફળ આપે છે તેની વિચારણા અને સુખદુ ખ વચ્ચે સમાન ભાવ, કર્મની વિચારણા ને પરિણામ (૪) સ સ્થાનવિચય– સ્વરૂપની વિચારણું. (ઘ) શુરંધ્યાન–એના ચાર પ્રકાર છે(૧) પૃથફત્વરિતક વિચાર–આમાં દરેક પદાર્થનું પૃથરત્વ (Analysis) કરે વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. એ દ્રવ્યગુણપર્યાયને વિચારે, ઉત્પાદ-વ્યય-ધ્રુવતાને વિચારે અને એ રીતે દ્રવ્યથી પર્યાયાદિ પર જાય. આ ભેદજ્ઞાન છે. (૨) એકત્વવિતર્કનિર્વિચાર–આ અભેદપ્રધાન ધ્યાન છે. આ ધ્યાનમા મન-વચન- કાયા પૈકીના એક જ રોગનું અવલ બન હોય છે (૩) સૂર્મક્રિયાપ્રતિપાતી–અહી સૂક્ષ્મ શરીરોગનો આશ્રય હોય છે. અહી - શ્વાસોશ્વાસની સૂકમ કિયા જ રહે છે. (૪) વ્યછિન્નકિયાઅપ્રતિપાતી-શ્વાસોશ્વાસ પણ અટકી જાય અને તુરત મોક્ષ થાય તે છેલ્લા બે પ્રકાર કેવળીને જ હોય છે આમાં પ્રથમના બે–આત અને રૌદ્ર ત્યાજ્ય છે તે ધ્યાનમાં રાખવુ ધર્મ તથા શુકલની ભાવના નિર્જરા કરે છે તે અત્ર વક્તવ્ય છે ૬. ઉત્સગ–કાઉસ્સગ. ઉત્સર્ગ એટલે ત્યાગ બાહ્ય અને આભ્ય તર સર્વ વસ્તુઓને ત્યાગ બાહ્યમાં ગણન ત્યાગ, શરીરનો ત્યાગ, ઉપધિત્યાગ અને અશુદ્ધ ભાત પાણીને ત્યાગ અને આભ્ય તરમાં કષાય, મિથ્યાત્વ, સસારનો ત્યાગ. આ રીતે છ પ્રકારનું આવ્યું તર તપ છે. આ બાહ્ય–આલ્ય તર તપથી આત્મા સાથે લાગેલા કર્મો દૂર થઈ જાય છે. સામાન્ય રીતે તપમાં માત્ર ઉપવાસ, આય બિલાદિને સમજવામાં આવે છે, એનો મહિમા પણ ઘણે મેટે છે, પણ તપ શબ્દ ઘણું વિશાળ અર્થમાં વપરાયેલ છે એ વાત ખૂબ સમજવા ચોગ્ય છે. જે આત્ય તર તપને પૃથક્કરણ કરીને વિસ્તારથી સમજવામાં આવે તો તેમાં સવારના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. ત્યાગની શરૂઆત અને તેનું પર્યવસાન તપમાં જ આવે છે અને દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામા “ધો મંત્રમુક્ષિ એટલે કે ધમ ઉત્કૃષ્ટ મગળ કહ્યુ છે તેની સાથે જ ધર્મના ત્રણ પ્રકાર બતાવ્યા છે અહિંસા, સ જમ અને તપ આ મુદ્દા પર વિવેચન આગળ કરવાનું રાખી અત્ર તો એક જ વાત કરવાની છે કે તપ એ આત્મધર્મ છે, આત્માના વિકાસ માટે અતિ ઉપયોગી તત્વ છે અને એની વિચારણામાં બાહ્ય અને આભ્ય તર અને પ્રકારને ખૂબ ધ્યાનમાં રાખવાના છે તેમાં પણ બાહ્ય કરતા આભ્ય તરતપની જરૂર વિશેષતા છે, છતા બાહ્ય તપ આભ્ય તર માટે પ્રબળ નિમિત્તકારણે છે આટલે પરિચય નિર્જરાને કરી આપણે ભાવનામાં પ્રવેશ કરીએ ખૂબ આન દથી આ ભાવના આત્મવિકાસ માટે ભાવવા ચોગ્ય છે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy