SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શાંતસુધારસ તેમ છે. મોટા મોટા ઋષિમુનિઓ પણ એ સંબધમાં બેદરકાર થઈ જાય તે મહાપાત પામે છે એ બ્રહ્મવતની નવે વાડે પણ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. એ શિયળક્ષેત્રની રક્ષા કરનાર છે સંસારમાં રખડવાનુ પ્રબળ સાધન એના સ બ ધમાં નિરપેક્ષ રહેવાથી પ્રાપ્ત થાય છે. આત્મપ્રગતિ ઈચ્છનાર માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે. જે અનેક કર્મોને આવવાને માર્ગ બંધ કરવું હોય તે બ્રહ્મચર્ય આત્મવિકાસની બારાક્ષરી છે એમ સમજવુ. ઘર એ ઘર નથી, સ્ત્રી એ ઘર છે પુરુષની દષ્ટિએ સ્ત્રી એ સ સાર છે સ્ત્રીની દષ્ટિએ પુરુષ એ સ સાર છે. સર્વથા સયમ ગ્રહણ કરે તે અત્યુત્તમ વાત છે, પર તુ તે ન બને તો સ સારમાં રહીને પણ બ્રહ્મચર્ય પાળવાથી ઘણો સ વર થઈ શકે છે. - બ્રહ્મચર્યમા કામ-ઈરછા, કામ-કલ્પના, કામવિષયક મનોર, હસ્તકિયા. સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યાદિ સર્વનો સમાવેશ થઈ જાય છે તે ધ્યાનમાં રાખવુ માનસિક બેગ પણ બ્રહ્મચારીને ન ઘટે, મન દ્વારા આ બાબતને અને બહુ કર્મ બંધાય છે તેથી ખાસ ધ્યાન ખેંચવાની જરૂરિયાત ધારવામાં આવી છે આ સ વરના વિષયમાં ગુરુમહારાજ જે ઉપદેશ આપે તે પવિત્ર નિપાનની જેમ સ ઘરી લે સવરના અનેક વિભાગોમાં તારી પિતાની બુદ્ધિ કામ કરી ન શકે ગુરુમહારાજ પાસે સ પ્રદાયજ્ઞાનનો અને અનુભવનો ભંડાર હોય છે તેઓ તને સુંદર રસ્તાઓ બતાવશે અને તે દ્વારા તારા અનેક આશ્રવારે બધ થઈ જશે સ વરને અગે આ અતિ મહત્વની બાબતમાં ધ્યાન ખેચીને શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે બહુ જરૂરી સુચના કરી છે ૭, અને સર્વ વાતનો આધાર તારી પરિણતિ ઉપર છે એ પરિણતિ જેટલી નિર્મળ થશે એટલે આત્મવિકાસ થશે એને ખૂબ સુંદર કરવા માટે તારે સમાગમાં યત્ન કરવાનો છે અને આગમ-શાસ્ત્ર નો વાર વાર અભ્યાસ કરવાનો છે સ યમના સત્તર પ્રકાર આપણે ઉપર જોઈ ગયા છીએ ચરણસિત્તરી તેમજ કરણસિત્તરીના પ્રકારે પણ એટલા જ ધ્યાન આપવા યોગ્ય છે એમા પ્રવૃત્તિ કરવાથી અધ્યવસાય ખૂબ નિર્મળ થશે. એને ઓળખાવનાર શાસ્ત્રગ્ર છે સ યમનું ઉત્પાદન, વર્ધન, પાલન અને ફલપ્રાપણ એ સર્વ તદ્વિષયક ગ્રંથોમાં છે જ્ઞાન વગર સ યમને ઓળખવો મુશ્કેલ છે અને માત્ર જ્ઞાનથી કાઈ વિકાસ શક્ય નથી જ્ઞાન -ક્રિયા બનેની એક સાથે આવશ્યકતા છે પરિણતિની નિર્મળતા ઉપર આશ્રવના નિરોધનો ખાસ આધાર છે અને એ જ સ વર છે અધ્યવસાયોને જેમ બને તેમ નિર્મળ કરવાની અત્ય ત આવશ્યક્તા એટલા માટે છે કે છેવટે કર્મબ ધનો કુલ આધાર અધ્યવસાય ઉપર નિર્ભર રહે છે હવે છેવટે તારા પોતાના સ્વરૂપને ઓળખ તારા જે સહભાવી ધર્મો છે તે “ગુણ કહેવાય છે. તારામાં અન ત જ્ઞાન-દર્શન–ચારિત્ર–ઉપયોગ અને વીર્ય આદિ અનેક ગુણો છે. એ નિરતર સાથે રહેનાર છે અને વાર વાર ફરનારા રૂપે તે પર્યાયે છે જીવ પચે ક્રિયા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy