SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શાંતસુધારસ કલ્પનાળા તારે માટે ઊભા છે. તારી જાતને તપાગી જા તને એક સ્થાનકે નિરાતે બેસવાનુ મળશે નહિ ચારે તરફ ધમાલ, તોફાન, ગડબડ અને ગુંચવણ જણાશે એક ચિંતા પૂરી થશે ત્યાં અનેક નવી ઊભી થશે. તેમ જ હિસા, અમૃત, ચેરી, પરસ્ત્રી અને ધનસંરક્ષણ નિમિત્ત દુર્ગાને તને થયા જ કરે છે. આ ધ્યાનને તુ ન કર. એને અટકાવવાને ઉપાય ઉપર પરિચયગાથા વમાં બતાવ્યા છે તારી માનસિક શેરી છે, પિળ છે, તેને દરવાજા ઉઘાડા પડયા છે તેનો તું ખ્યાલ કર સમજુ તત્વજ્ઞાની પોતાની માનસપળ ઉઘાડી મૂકે નહિ, એ તો એના દરવાજા બંધ કરે અને પાછો તપાસી પણ આવે કે દરવાજા બરાબર બંધ થયા છે કે નહિ ઉઘાડા દરવાજામાં તો ચાર તરત પેસી જાય, માટે સમજુનુ કામ એ જ છે કે એણે માનસ–વીથીના દરવાજા બધ કરવા આવો ચોર છે, ઉઘાડા દરવાજા જોઈ જરૂર અદર ઘૂસી જાય તેવા છે અને તને ભારે બનાવે તેવા છે, માટે આ દરવાજા બંધ કરી તારા અદરના ઘરબાર અને વૈભવને બરાબર જાળવી રાખ તું સમજુ હાઈશ તો આવના માર્ગો જરૂર બધ કરીશ આ આખે મનગુપ્તિનો વિષય છે એમાં નકામા સ કોને ત્યાગ ખાસ સૂચવે છે, તે બહુ જ વિચારવા યોગ્ય છે. - પ. હવે તારી કાયાને અત્યારે તુ શુ ઉપયોગ કરે છે તે વિચાર. આ શરીર મજૂરી કરવા કે નામ લખવા કે વેપાર–નોકરી કરવા માટે ન જ હોય છે તે સમજી શકાય તેવી વાત છે સમજેલી વાતનો તુ અમલ કરતે કે ન હો તે વાત બાજુ પર રાખ, પણ તારે જે એ શરીરને સફળ કરવું હોય તો એને છૂટુ મૂકવાની વાત છેડી દે એ શરીર કેવું છે તે તો તે અનિત્યભાવનામાં જોયું છે અને એના સ્વરૂપને ખ્યાલ અશુચિભાવનામા તને આવ્યા છે પણ હવે એનો બરાબર લાભ લે તારા મનને બરાબર એકાગ્ર કરી એની અત્યત શુદ્ધિપૂર્વક તું સ યમયોગમાં પ્રવૃત્તિ કર એક સ્થળે કહ્યું છે કે સારા નિતાં ઘાત –આત્માને સ યમયોગોમાં આ વખત ઉદ્યમી રાખવો વૈરાગ્યની વાતો કરે છે તે આળસુના મનોરથો નથી કે વેરાગ પામી બેસી રહેવાનું નથી આ વખત આતરા વગર સ ચમાગમાં આત્માને પરોવાયેલો રાખવાને છે અને તેને માટે શરીરને ખૂબ ઉદ્યમી રાખવું પડે તેમ છે. અહીં પ્રસ ગોપાત્ત એક વાત કરવા જેવી છે. સાધુધર્મમા આખો વખત એટલી કિયા કરવાની હોય છે કે સવારના ચાર વાગ્યેથી શરૂ કરીને એને આવશ્યક પડિલેહણ,ચૈત્યવદન દેવવદનાદિ કરવાના હોય છે, એ ઉપરાત ગોચરી વગેરેમાં ખૂબ ઉપયોગ રાખવું પડે છે. એ સર્વમા સાધ્ય સાયમનુ છે પણ એને જરા પણ આળસમા પડવા દેવાની વાત નથી આ પ્રાણને માટે સવાલ જ સવારની સાજ પાડવાનું છે એ નવરે પડે તો અનેક તોફાન કરે. કલેશે પણ નવરા માણસે જ કરે છે. ઉદ્યોગી શહેરમાં કુટુંબ-કલહ આ જ કારણે ઓછા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy