SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શાંતસુધારસ સાધન અને રસ્તાઓ શોધવાં. ગગ્રંથોમાં યમ, નિયમ, આસનાદિ માર્ગો બતાવ્યા છે તે ખૂબ સમજવા યોગ્ય છે “મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું” એ સાચી અને ખાસ જરૂરી વાત છે અને તેથી જ ચોગોને અસ્ત્ર કહ્યા છે, એટલે કે એના પર જય મળવો મુશ્કેલ છે પણ સાથે જ ધ્યાનમાં રાખવું કે એ જ અશક્ય નથી. આ સ વરમાર્ગે પ્રવર્તન કરવાથી ઈષ્ટ મોક્ષસુખ જરૂર મળે તેમ છે. માટે પેગો પર વિજય મેળવો. આ સ વરમાર્ગ મહા રાજગ હોઈ ખૂબ વિચારવા જેવો અને ભાવવા જે છે, ખરેખર જીવવા જેવો છે. એના વિકાસમાં જીવનયાત્રાની સફળતા સમાયેલી છે અને આશ્ર સામે દ્વારે બધ કરવાનું એ પ્રબળ સાધન છે, માટે એમાં પ્રયત્ન જરૂર કરવો. ( ૫) રુકામાં વાત કરતા, ઉપર જણાવેલી રીત પ્રમાણે જ્યારે તદ્દન નિર્મળ હૃદયપૂર્વક આશ્રોને એકવામાં આવે ત્યારે એક ઘણુ સુદર અતિ વિશિષ્ટ પરિણામ નિપજાવી શકાય છે અને તે ઈષ્ટ તથા પ્રાપ્તવ્ય છે અહી આ જીવને-આત્માને વહાણનું રૂપક આપી વાત ચલાવે છે પ્રથમ તે આવોના રેનો અમલ હદયથી કરવાનો છે એથી કર્મોને બ ધ અને મળની ઉત્પત્તિ અટકી જાય છે. મળને વધારે ન થાય એ જ કાર્ય સ વરનુ છે અને તે આશ્રવને રાધ થયે પ્રાપ્તવ્ય છે. વહાણને ઈષ્ટ સ્થાને પહોંચવા માટે ત્રણ વસ્તુની જરૂર છે. વહાણ પોતે દરિયાને ચગ્ય હોવું જોઈએ, એના સઢ બરાબર હોવા જોઈએ અને એને પવન બરાબર લાગવો જોઈએ. એમ થાય તે એ દરિયાના ભયને ઓળગી ધારેલ બ દરે પહોચે છે. આ આત્મનોકાને નિવણપુરીએ–મેલનગરીએ પહોચાડવી છે એને ઉપરની ત્રણે બાબતે બરાબર લાગુ પડે છે પ્રથમ તો એ સુપ્રતિષ્ઠાનશાળી હોવો જોઈએ વહાણને મધ્ય ભાગ બરાબર દરિયાને લાયક હોવો ઘટે એ પ્રમાણે એણે સુ દર ત્રત ધર્યાદિ ગુણ કેળવી પોતાના વહાણને દરિયાની – - સ સારસમુદ્રની મુસાફરીને યોગ્ય બનાવવું જોઈએ આ પ્રથમ શરત થઈ. બીજી વાત એ કે આપ્ત પુરુષોના વાક્ય પર શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક બાબતમાં કોઈ પોતે પ્રાગ કે ચર્ચા કરી શકતા નથી. આપ્તની આપ્તતા કસેટીથી નક્કી કરી તેના વાક્યમાં શ્રદ્ધા રાખવી એ જ એને માટે માર્ગ છે જેમનામાં રાગ-દ્વેષ ન હોય તે આપ્યું. તેમના વચનો શોધી તેમાં શ્રદ્ધા રાખવી. આ ખરેખરો સઢ છે આપ્તવાક્યાતર્ગત અનેક બાબતો અત્રે પ્રસ્તુત થાય તે વિચારી લેવી અત્ર તે લખવા માડીએ તો ઘણો વધારો થઈ જાય. આવા સઢને આશ્રય કર્યા વગર કદી ભવસમુદ્રને પાર પમાય તેમ નથી એ આશા વ્યર્થ છે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy