SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરભાવના ૨૪૯ માયા” નામનો આશ્રવ આપણે જોઈ ગયા છીએ. કપટ, દ ભ, ગોટાળા એ આપણને ન શોભે. મનમાં કાંઈ હોય અને ઉપરથી કાંઈ બોલવું એ કેટલા ભવ માટે? સરળતાથી એના પર વિજય મેળવવો. મન-વચન-કાયાની એકતા વગર ઘણી સલ્કિયા નિરર્થક થાય છે. અહીં ઘણુ બેસી રહેવાનું નથી એટલું સ્પષ્ટ જણાય તો સરળતા આવી શકે તેમ છે. લભ આશ્રવ વધારે આકરે છે એ ઘણા આકારમાં વ્યક્ત થાય છે અને સર્વ ગુણોને નાશ કરે છે. સંતોષથી એના પર વિજય મળે છે, નહિતર તો આખી દુનિયાનું રાજ્ય મળે તે પણ ઓછુ પડે છે. એ ભય કર દુર્ગણ અતિ મીઠે હોઈ પ્રાણીને ખૂબ કર્મોથી ભારે બનાવે છે. ધન કમાવા બેસે ત્યારે એને હેતુ કે સાધ્યનું ભાન રહેતુ નથી અને આજનું સાધ્ય તે કાલનું શરૂ કરવાનું સ્થાન બને છે. સતોષ થઈ જાય તો બધી તરખટ મટી જાય છે આવી રીતે ચારે કષાયો, જેઓ મહાભય કર છે અને જે પ્રાણી તરફ અનેક કર્મો આણું એને ભારે બનાવી મૂકે છે, તેના પર વિજય મેળવવાની બહુ જરૂર છે એના ચારે ઉપાયે તે ચાર યતિધર્મમાં ઉપર આવી ગયા છે કર્મોના બધ વખતે એ કષાય સ્થિતિઓ ધ અને રસબંધમાં ખાસ કાર્યો ભજવે છે તેથી એનાથી વધારે ચેતવાની ખાસ આવશ્યકતા છે એના સવર ધર્મો ખરા ઉપાયભૂત છે, અમલમાં મૂકવા ગ્ય છે અને આત્મવિકાસમાં બહુ સુ દર કાર્ય કરનાર છે. (૪) મન-વચન-કાયાના ગે આપણી પ્રવૃત્તિને મુખ્ય ભાગ ભજવે છે. મનથી વિચારીને વાણીથી અથવા શરીરથી અથવા બનેથી સર્વ પ્રવૃત્તિ થાય છે આ ચેગે પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારના છે સ વરમા મનગુપ્તિ, વાગુપ્તિ, કાયગુપ્તિ બતાવી છે એને અર્થ અપ્રશસ્ત ગપ્રવૃત્તિ પર અ કુશ થાય છે શુભ યોગમા અમુક હદ સુધી પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા છે. ગુતિ એટલે મનાદિને દાબી દેવાના નથી પણ એની અશુભ પ્રવૃત્તિઓ પર અકુશ લાવવાનો છે એ અપ્રશસ્ત મનવચન-કાયાના રોગોને સદરહુ ત્રણ ગુપ્તિઓથી જીતવા એ સ વર છે મન-વચન-કાયાના અપ્રશસ્ત ગોને “અજ' કહ્યા છે એના પર વિજય મેળવ ઘણો મુશ્કેલ છે. પણ વિજય મેળવ્યા વગર આશ્રવના મેટાં ગરનાળા બ ધ થાય તેમ નથી. મન જ્યાં ત્યાં દોડ્યા કરે તો તો પછી પાર કેમ આવે? અને એવી જ રીતે વાણી પર સંયમ ન હોય તે આ પ્રાણી તે ગમે તેવું બોલ્યા જ કરે. એને પિતાની વિદત્તા બતાવવાની, ઠઠ્ઠા-મશ્કરી કરવાની, અસત્ય-અસત્ય બોલવાની અને પ્રણયના ગાન ગાવાની એટલી ટેવ હોય છે કે એના પર અંકુશ ન હોય તે પિતાનુ ભાષણ ચલાવ્યા જ કરે. અને શરીરની વાત શી કરવી? પચશે અસયિામાં એનો ભાગ માટે છે કર્મોને મોટો જથ્થો એ ખેચી લાવે છે. ખાસ કરીને મનગુપ્તિ સર્વથી વધારે આકરી છે, પણ તેટલી જ તે જરૂરી છે. આવી રીતે ગો પર વિજય મેળવો. આ મહાન યોગ છે, એના પ્રસંગે,
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy