SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] ગ્રંથપદ્ધતિ – આખા શાંતસુધારસ ગ્રથની ગાથાઓ ૨૩૪ નીચે પ્રમાણે છે શરૂઆતમાં ૮ ગાથા (શ્લોકો) પ્રસ્તાવના અને ઉપઘાત જેવી છે. છેવટે પ્રશસ્તિના ૭ લોકે છે. બાકી સેળ ભાવનામાં અનુક્રમે ૩-૩-૫-૫-૫-૫-૫-૫-૭-૭-૭––૮–૭-૭ અને ૫ મળીને ૯૧ શ્લોક છે આ શ્લોકો ખૂબ પ્રૌઢ ભાષામાં છે અને તેમાં મ દાક્રાન્તા, શાલવિક્રીડિત, સુગ્ધરા, માલિની, શાલિની, શિખરિણી વગેરે વૃત્તો બહુ આકર્ષક રીતે વપરાયા છે. તે ઉપરાંત દરેક ભાવના પર અષ્ટક લખેલ છે. તેના સેળ ભાવનાના ૧૨૮ શ્લોકે થાય છે. એ ગેય અષ્ટક મૂળ રાગોમા ગાઈ શકાય છે તેમ જ ગુજરાતી દેશીઓમાં પણ ગાઈ શકાય છે તે ઉપર બતાવ્યું છે. જે એ રીતે ઉપોદઘાતના ૮, સેળ ભાવનાની પયાલોચનના ૯૧, સોળ અષ્ટકના ૧૨૮ અને પ્રશસ્તિના ૭ મળી આખા થના કુલ ૨૩૪ શ્લોકો અથવા ગાથાઓ છે દરેક ભાવનાને લઈને તેને પ્રથમ પરિચય કરાવવો અને પછી ગેય અષ્ટક લખવું એ પદ્ધતિ ગ્રંથકર્તાએ રાખી છે. દરેક ભાવના પર પરિમિત લખવાને તેમને વિચાર ચોક્કસ જણાય છે, કારણ કે આ સેબે ભાવનાએ તે એવી છે કે એના પર જેટલું લખવું હોય તેટલું લખી શકાય. પણ ગ્રથકર્તા લોકેની ધીરજ, આયુષ્યની મર્યાદા અને ખાસ કરીને મનુષ્યસ્વભાવના અભ્યાસને પરિણામે સમજી ગયા હતા કે લોકોને લાબી લાબી વાતે ગમતી નથી, એટલે એમણે સુત્ર જેવી વાતે ટૂંકામાં પણ મુદ્દામ રીતે રજૂ કરી છે એનું એક એક વાક્ય કઈ કઈ સ્થાને તે એવું અર્થ અને ભાવગર્ભિત છે કે એના પર પુસ્તક લખાય. ગ્રંથકર્તાને ગ્રથ વિદ્વત્તા બતાવવા માટે બનાવવાને નહોતો એમને બોધ એમણે “લેકપ્રકાશમાં બતાવ્યા હતા. એમને આ ગ્રંથ તો આત્મા સાથે વાત કરવાનો બનાવ હતે. એમાં મનોવિકાર કે કપનાને જોર આપવું નહોતું, પણ એને મર્યાદામાં લાવી એના પર સંયમ મેળવવાની ચાવીઓ-વિચારધારાએ બતાવવાની હતી એ કામ ગ્રંથકર્તા કવિએ સફળ રીતે કર્યું છે. એના ગેયાષ્ટક ઘડીભર ગાવા ગ્ય છે. શાતિનો સમય હોય, ચેતનરામ જરા શહેરમાં હાય, ઉપાધિઓથી સહજ વિરમવાનુ થયુ હોય તેવે વખતે એકાદ ભાવના ઉપાડવી અને અંતરકલ્પ કરે, ત્યારે એની ખરી મોજ આવશે એ ગાવામાં મજા આપે તેવી જરૂર છે, પનું એનાથી પણ વધારે જ એકલા-એકાંતમાં ચેતનરામ સાથે રમણ કરાવે એવી એની વાતમાં છે. એમાં નવલની રસાત્મકતા ન હોય કે ગુપ્તચર (ડીટેકટીવ) કથાની પરિણામ-જિજ્ઞાસાઉત્પાદક રાલી ન હોય, એમાં કવિનાં નિરકુળ ઉદ્દયનો ન હોય કે નાટકના શગાર, વર કે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy