SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શાંતસુધારસ ૫. આટલેથી આવો પૂરા થતા નથી હજુ પણ બળવાન આવોનો વિચાર કરવાનું બાકી છે પાયે તો કર્મની ઉપર ભાત પાડે છે. ક્રોધના આવેશમા, માનના ચઢાણ પર, માયાની ન દી વૃત્તિમાં, લેને તાબામાં આ પ્રાણી ભારે કર્મો બાંધે છે અને તેના ઉપર વજલેપ કરે છે. કષાયના ઉદયથી દુનિયા પર મોટા સહાર થયા છે. લોહીની નદીઓ ચાલી છે, માયાને અને અનેક પાપ છૂપી રીતે કરે છે અને લોભથી રાતદિવસ દેશ-પરદેશ રખડે છે તે પ્રત્યેકના લક્ષણો વિચારીએ ક્રોધ આત્મજ્ઞાનને અટકાવે છે, સંયમને ઘાત કરનાર છે, નરકનું દ્વાર છે, પાપનો પક્ષપાત કરનાર છે, ઉપશમને વૈરી છે અહી ચડકેશિયા સપનું દૃષ્ટાત વિચારવુ. માનને પર્વત સાથે સરખાવવા ગ્ય છે એ નિર્મળ જ્ઞાનને રોકે છે વિનય, શ્રુત, તપ, શીલ અને ત્રિવર્ગને હણનાર છે, વિવેકનો નાશ કરનાર છેઅહી સ્થૂલભદ્રનું દૃષ્ટાત વિચારવુ. | માયા અતિ નીચ છે ખોટો દેખાવ કરવાની વૃત્તિ દૂર કરવી વધારે મુકેલ છે નિષ્કપટી થવાનો ઉપદેશ એકાતે ભગવતે કહ્યો છે અહી કુસુમપુરે રહેલા બે સાધુનું દષ્ટાંત વિચારવું. લભ ભય કર દોષ છે, સર્વ ગુણોનો નાશ કરનાર છે, વૃદ્ધિ પામતો ભય કર દુર્ગુણ છે, છેડે ન આવે તે પાતકી દોષ છે. અહી બ્રહ્મદત્ત, સુભ્રમ ચકવતી આદિ પાર વગરના દાખલા છે કપાયને ઉદય થાય છે ત્યારે કાઈ પણ હેતુ મનમાં રાખીને પ્રાણ ખૂબ ખરડાય છે અને પછી નારકીમાં જઈ પડે છે અને જન્મમરણને એવા મોટા ચક્કરમાં પડી જાય છે કે એ જી ઉ ચે આવી શકતો નથી આવો પ્રાણ જરૂર અન ત ભવપરિપાટીમાં પડી જઈ ત્રાસ પામે છે, હેરાન થાય છે અને પોતાની પ્રગતિ ગુમાવી બેસે છે. એવી જ રીતે હાસ્યાદિ નોષાય પણ સંસારમાં પ્રાણીને ખૂબ રખડાવે છે કર્મબ ધન વખતે જે રસ પડે છે તેમાં મુખ્ય ભાગ કપાયો ભજવે છે સમાન ક્રિયા કરનારની કમસપત્તિમાં જે મોટે ભેદ પડે છે તેની ગાઢતા કપાયો પર આધાર રાખે છે જેમ કપાયનું જોર વધારે તેમ કર્મો વધારે ચીકણું બંધાય છે આ કપાયો આતરરાજ્યમાં પ્રવર્તે છે અને એ પ્રત્યેક ખૂબ સમજવા જેવા છે. કપાય ઉપર સ સારો એટલે બધો આધાર છે કે એનો અર્થ “કષ એટલે સ સારને “આય” એટલે લાભ એમ કરવામાં આવે છે એ જેટલા વધારે તેટલો સસાર લાબો થાય છે. એને સમજવા માટે આતરસૃષ્ટિમાં ઊતરવું પડે તેમ છે એ ધ્યાનમાં રહે. ૬. મનવચન-કાયાના ચોગે પણ આવો છે મનના વ્યાપારથી, વાણીના પ્રયોગથી અને કાયાની પ્રવૃત્તિથી પ્રાણી કમેં બાધે છે અને તેથી તેઓ પણ ગરનાળા છે મન-વચનકાયા જે ચચળ હોય તો ભય કર પાપના ભારથી ચેતન ખરડાઈ જાય છે. શરીરની પ્રવૃત્તિ કેવી કેવી ક્રિયાઓ કરાવે છે તેનું વર્ણન આગળ થઈ ગયુ છે વિચાર વગર, કારણ વગર બાલવાનું કામ કરનાર મહા ઉપાધિઓ વહોરી લે છે અને મન તો ખરેખર મર્કટ જ છે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy