SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શાંત ધામ શુદ્ધ શ્રદ્ધાન નથી કેઈક વળી સાચુ સમજે છતા અભિનિવેશ કરી પિતાની માન્યતામાં ચુસ્ત રહે છે અને કસોટીમાથી પસાર થવા સાફ ના પાડે છે. શુદ્ધ દેવને ઓળખવા, અને એને ઓળખાવે એવા સુગુરુને ગ મેળવવા. એવા ગુરુ સાચા ધર્મ બતાવે ત્યારે જ આ અજ્ઞાનદશા-મિથ્યાત્વ દૂર થાય છે. ત્યા સુધી પ્રાણીઓ કુગુરુના ઉપદેશથી અથવા પોતાની બુદ્ધિશક્તિ ઉપર ખોટો આધાર રાખી, આખી દુનિયાના ડહાપણના દાવ નીચે મેક્ષનો માર્ગ છેડી, પોતાના આત્માને કર્મભારથી ભારે કરનારી મિથ્યાકિયામાં પડી જાય છે અને ઊલટા આત્મકલ્યાણને દૂર કરે છે. ઘણા તો સાચું સમજતા જ નથી અને જ્યા ત્યા માથા માર્યા કરે છે ઘણુ એ તરફ બેદરકાર રહે છે અને ઘણું પોતાની રસવૃત્તિમાં એટલા આસક્ત બની જાય છે કે એને “ધર્મ હબગ લાગે છે કેટલાક તે સાચારિક ક્રિયામાં નિમગ્ન થઈ ભારે થાય છે અને કેટલાક હિ સામા ધર્મ માની નિરર્થક ક્રિયા કરે છે જ્યા સુધી વસ્તુસ્વરૂપને યથાસ્થિત બોધ ન થાય ત્યા સુધી મોક્ષને તે છાડીને પ્રાણ સ સારને માર્ગે આગળ વધે છે ગ્ય ક્રિયા ન કરનાર પણ સાધ્યને રસ્તેથી પાછો પડે છે અને અયોગ્ય ક્રિયા કરનાર પણ એ માર્ગેથી દૂર ભાગે છેઆ સ્થિતિમાં વસ્તુધર્મનું અજ્ઞાન રહે છે અને એવા મલિન કર્મો દઢપણે બધાય છે કે એનો વિચાર કરતા પણ ત્રાસ થાય. કર્મસ બધ અજ્ઞાન-મિથ્યાત્વ દશામાં સર્વથી વધારે થાય છે. કમબ ધન હેતુમાં મિથ્યાત્વને તેટલા જ માટે અગ્ર સ્થાન આપવામાં આવ્યુ છે મિથ્યાત્વ કા તો બુદ્ધિને ચાલવા જ દેતું નથી અથવા તેને વિપર્યાસ કરી નાખે છે ત્યાં પડળ જ ઊલટા થઈ જાય ત્યા પછી સાચું દર્શન જ ન થાય અને મોક્ષગ્ય સાચા વર્તનને ત્યાં સ્થાન જ રહેતું નથી કર્મબંધને આ મહાન હેતુ મિથ્યાત્વ એના સર્વ પ્રકારેમાં ખાસ સમજવા યોગ્ય છે ક્રિયામાં અજ્ઞાન હોય છે ત્યારે તે તદ્દત નકામી અને પાછા પાડનારી ક્રિયાઓ થાય છે. એવી ક્રિયાઓને વિષક્રિયા અને ગરલક્રિયા કહે છે વિષ તુરત મારે છે, ગરલ ધીમુ ઝેર છે એ ઉપરાંત કુગુરુ ખોટે રસ્તે ચઢાવી દે તો પણ દુષ્ટ ક્રિયા થાય છે ત્યારે નિષ્કામ વૃત્તિઓ આતર–ભાવથી આત્મસાક્ષાત્કાર કરવા સારુ પ્રેમભાવપૂર્વક “અમૃતક્રિયા કરવામાં આવે ત્યારે જ આવો આવતા અટકે છે મયણાસુંદરી સાસુને સાજે વાત કરે છે ત્યારે પણ એને પૂજામાં થયેલો આનદ ઉભરાય છે એવી આતરભાવની ક્રિયા કરવા તરફ આદર રાખવો ચોગ્ય છે. અહી તે અજ્ઞાન-મિથ્યાવયોગે કુમતિની પ્રેરણાથી ગમે તેવી ક્રિયા કરવાથી શિવપુરનો રસ્તો છેડી ઊડધે રસ્તે જવાય છે અને ગરનાળા ઉઘાડા રહે છે, તેટલી વાત પર ધ્યાન ખે ચી ભાવના રજૂ કરી છે ૩. સમજણ-જ્ઞાનનું ફળ ત્યાગ છે નાળ૪ % વિ . અને તે ત્યાગ પણ નિશ્ચયપૂર્વકનો હોવો જોઈએ. કરેલ નિર્ણયનો ગમે તે ભેગે નિર્વાહ કરે એ ત્યાગ છે. એનાથી ઊલટી
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy