SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતમુધાર્મ પણ આપણા પનારા એની સાથે પડયો છે તેા એનાથી કાઈ લાભ લેવાય તેા લઈ લેવા એ આપણુ કર્તવ્યૂ છે માટે હવે લેખક મહાશય કહે છે તેમ માનસનલિન-હૃદયકમળને ઉઘાડા અને ત્યા અભેદ્ય મૂર્તિને સ્થાપી એને અપનાવા એ એટલે તમે પેખતે. શરીર તમારું નથી, તમે શરીર નથી શરીર તમારી સાથે આવનાર નથી પણ ત્રણ કાળે તમે તે તે તમે જ રહેવાના છે, એવુ એટલે તમારુ પેાતાનુ કાર્ય સુધરે, કાઈ માર્ગે ચઢવાનુ થાય એવા રસ્તા કરો અને તે માટે અ તથી સાચા વિચાર કરે। અત્યાર સુધી ઉપર ઉપરથી તે ઘણી વાતેા કરી છે અને કેાઈવાર ચેતન ચેતન કરી સ્વને અને પરને ઠગ્યા છે, એમા કાઈ વળે નહિ. આ માગે કાઈ જયવારા થાય નહિ . હવે તે હૃદયકમળને ઉઘાડી ત્યા જે અત્યારે માહુરાજા પેસી ગયેા છે તેના આખા મંડપ તોડી પાડા અને ત્યા વિભુ પવિત્ર મહેામય ચેતનરાજને બેસાડો એ રીતે એ શરીરને પૂરેપૂરો લાભ લે જે પદ્ધતિએ મલ્લિકું વરીએ અધ્યાત્મવાદની સ્થાપના કરી લડાઈ અટકાવી અને પરણવા આવનાર છ રાજાઓને પ્રતિમાધ્યા, અનેકને સહાર અટકાવ્યા તે રીતે આ અપવિત્ર વસ્તુના પોટલાને એના સાચા આકારમા ઓળખી ખૂબ આનદ માણેા અને જે કાયા અપવિત્ર-દુગ છનીય પદાર્થોથી ભરેલી છે અને જે તમને વારવાર ચિંતા કરાવી વૈદ્ય ડૉકટરના બિલ ભરાવે છે તેને જ મેાક્ષદ્વાર ખનાવે! આ મનુષ્યદેહ મેાક્ષદ્વાર છે જ, પણ એને એ તરીકે અપનાવીએ તે નહિ તે અનેક ભવ ર્યા છે તેમા એકને! વધારા કરી તણાઈ જવાશે અને કચા જવાનુ થશે તે તેા પ્રત્યેકે વિચારી લેવાનુ છે ત્યા આ શરીર આવવાનુ નથી એ પણ ચેાક્કસ છે અને અહીં કરેલા સારા-ખરાબ કૃત્યા, વિચારો કે ભાષાપ્રયેાગેા કાઈ અડી ને અડી અટકી જાય એવી આશા રાખવી એ તે ફોકટ છે ૨૦૮ માટે કઈ રીતે વિકાસ વધુ પ્રગતિ થાય રસ્તા પ્રાપ્ત થાય તેવા માર્ગો આદરી. આ શરીરને લાભ લ્યેા વિકાસક્રમને એવેા મહિમા છે કે એક વખત જે ગાડુ રસ્તે ચડી જાય તે પ્રત્યેક પગલે આગળ ધપાય છે અને તે રસ્તા પ્રાપ્ત કરવા જેટલુ સામર્થ્ય આવડત, અનુકૂળતાએ, સગવડા એ સ અત્ર લક્ષ્ય છે મલ્લિકુવરીના મિત્રો વિચારશીલ હતા, રાન્ત હતા, વળી ગયા ભવમા આત્મવિકાસ કરીને આવ્યા હતા તેમણે શરીરને ધર્મ સમજાતા સાચા રસ્તે જેયા અને જોવાની સાથે જ ચેતી ગયા આનું નામ વિકાસક્રમની પ્રાપ્તિનેા લાભ કહેવાય સનત્ક્રુમાર મહાન ચક્રવતી રાજા હતા. એને શરીર પર ખૂબ મેાહ હતા એના ગ પણ ખરે 1 પણ જ્યારે એણે દેવતા પાસેથી શરીરમાં વિકારેા થયેલા જાણ્યા ત્યારે એ રડવા ન બેઠા એણે છ ખડ પૃથ્વી છેાડી દીધી સયમ લઈ આરાધના કરી ઔષધ કરવા આવનાર દેવવેદ્યો પાસે અતરના વ્યાધિની વાત કહી પણ બહારના વ્યાધિની દરકાર ન કરી તે એક માસની સલેખના કરી ત્રીજે દેવલેાકે ગયા આનુ નામ તે વિકાસદશા કહેવાય! કાઈ શરીરનુ અપવિત્રપણે વિચારી ગભગઈ જવાનુ નથી મનહુમાર જેવુ સામર્થ્ય વાપરી રસ્તે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy