SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિભાવના આવા તો અનેક નિષ્ફળ પ્રયત્ન પ્રાણી વાર વાર કરે છે એ શરીરની અંદરની દુર્ગ ધી છુપાવવા માટે કે ક કેક પ્રયત્ન કરે છે. એના ખોરાકમા, એના સ્નાનમા, એના પીણામાં, એના કપડામા, એના ઘરેણામાં એ પ્રયત્ન વાર વાર દેખાય છે, પણ છતા એ એક પણ પ્રયત્નમાં લાબો વખત સફળ થતું નથી અને સફળ ન થવા છતા એ નવા નવા પ્રયોગો કર્યા જ કરે છે અત્યારે તમે કોઈ પણ ચિત્રવાળા છાપાં વાંચશો તો તેમાં સૌદર્યશાળી કેમ દેખાવું તેના અનેક પ્રયોગ જેશે. ત્યા તમે જાહેરખબરના થોકડા વાચશે એક બાલ કેમ સાફ રાખવા એને માટે સે કડો વાતો જોશો. મુખ પર લગાડવાના પફ પાઉડર, ક્રીમ, ઓઈન્ટમેન્ટ, શ્નો અને તેના ડાઘા દૂર કરવાની જાહેરાતોની હારની હાર જેશ અ દો કચરો દૂર કરવાની પદ્ધતિ અને રોગો પણ ઉલ્લેખ કરવામાં આવે તો પૃષ્ઠ ભરાય તેમ છે. આ સર્વ નિષ્ફળ પ્રયત્ન છે, અગ્યને વધારે પડતી અપાતી અગત્ય છે અને સમજણ વગરની બાળચેષ્ટા છે આ નવયુગની વાત પ્રસ ગોપાત્ત થઈ ગઈ, પણ જે વખતે આ મૂળ પુસ્તક લખાયુ ત્યારે પણ શરીરને મળ દૂર કરવાના નિષ્ફળ પ્રયત્નો અનેક પ્રકારના થતા હતા યુગે યુગે પદ્ધતિ ફરે છે, પણ મુદી તો એકનો એક જ રહે છે. આવા શરીરને તુ વાર વાર ચાલ્યા કરે છે અને એને સૂ વ્યા કરે છે ! તારી આવી ચેષ્ટાઓ જોઈને સમજુ-વિચારક માણસે મનમાં હસે છે તેઓને એમ થાય છે કે આ માણસ આખો વખત શરીરને ઘસ્યા કરે છે અને પવિત્ર કે સુંદર બનાવવા મથે છે એ તે કાઈ ડહાપણની વાત ગણાય છે ? અનેક વાર ન્હાવાથી શૌચધર્મ પળાય છે એ માન્યતામાં વિચાર ઘટે છે જે શરીર અપવિત્ર વસ્તુથી જ ભરેલું છે તેને બાહ્યશૌચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે વિશિષ્ટ હેતુપૂર્વક સ્નાનાદિની વાતને અત્ર સ્થાન નથી, પણ માત્ર બાહ્ય શુદ્ધિ( શૌચ)માં જ પર્યવસાન સમજનાર શરીરને ધર્મ સમજે, એની અંદરની વસ્તુઓને વિચારે, એ વસ્તુઓની અપવિત્રતા ખ્યાલમાં લે અને એ વસ્તુ દૂર કરવા જતા શરીર જેવું કાઈ બાકી રહી શકે તેમ નથી એ વાત જે એક વાર લક્ષ્યમાં લે તો આ નકામાં પ્રયત્નને બાજુએ મૂકી પોતાના પ્રયત્નો બીજે માગે લગાડે. આ મહામૂલ્ય મળેલ જીવન ઘેરુ છે, સાધ્ય સધાવી શકનાર છે, એને બહારથી પવિત્ર રાખવાના પ્રયાસમાં વેડફી નાખવા જેવુ એ નથી આ બાબત સ્પષ્ટ સમજવા આ સર્વ હકીકત વિચારવા જેવી છે. ૫. વળી એક બાબત ખાસ વિચારવા યોગ્ય છે પુરુષના નવ અગોમાથી આખો વખત શું નીકળે છે તે વિચારી જુઓ - –બે કાનમાંથી કચરો, કેટલાકને પરુ નીકળ્યા કરે છે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy