SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શાંતસુધારા જરા પણ ધ્યાનમાં રહેતી નથી એ ઉપરાંત એને શરીરપુષ્ટિ માટે નિર તર ચિતા રહ્યા કરે છે અને છતા શરીરની વકતા તે એ દરરોજ અનુભવે છે. આવી જાતનું શરીર છે! એમાં વાયુઓ પણ એવા પ્રકારના ભરેલા છે કે એને ઓડકાર આવશે તો તેમાં પણ ખરાબ ગ ઘ આવશે અને અપાન વાયુ નીકળશે તો તેમાં પણ દુર્ગધ આવશે અને પરસેવો પણ ન ધવાળો થશે. એની આખમાથી ચીપડા (પીઆ ) નીકળશે તો તે પણ દુગધી જ હશે. નાકને શ્લેષ્મ પણ દુર્ગધી અને એના મળ-મૂત્ર સર્વ દુર્ગ ધી નીકળશે. આવી રીતે સ્વાભાવિક દુર્ગ ધ એનામાં એટલી બધી ભરેલી છે કે એના પર ગમે તેટલા સંસ્કાર કરવામા આવે પણ તે પિતાની દુર્ગધ છેડે તેમ નથી, કારણ કે એ દુર્ગધ સ્વાભાવિક છે અને જેમ લસણ સુગંધી થતું નથી કે દુર્જન કદી સજ્જન થતો નથી તેવી એની સ્થિતિ છે. (૪) જે વસ્તુ છ આને શેર મળતી હોય અને મીઠાઈ વેચનારની દુકાન શોભાવતી હોય તેને ઘેર લાવી ખાધા પછી તેની કિમત શી થાય? એના શેરના કઈ છ આના તે ન જ આપે, પણ એને દૂર ફેકાવાના પણ દામ આપવા પડે. દરેક મ્યુનિસિપાલિટી હલાલખોર કર લે છે તે સારા પદાર્થોને ખરાબ કર્યાનો બદલો જ છે અને તે તેની કિંમત છે - આ શરીર એવું છે કે એના સંબધમાં ગમે તેવી પવિત્ર વસ્તુ આવે તે થોડા કલાકમાં અપવિત્ર બની જાય છે બત્રીશ શાક અને તેત્રીશ ભેજન મળે પણ તે પેટમાં ગયા પછી શુ બને છે? દૂધપાક કે ઢોકળા કે જેને જે ગમે તેવી ચીજ ખાય તેવી ચાર-છ કલાક પછી શી દશા થાય છે! એ સર્વ વસ્તુઓ અદર્શનીય, અસ્પર્શનીય અને અનિચ્છનીય બને છે. એનું કારણ એ છે કે આ શરીર અમેધ્યનિ છે યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. અમેધ્ય એટલે અપવિત્ર એ શરીર અપવિત્ર વસ્તુઓનું ઉત્પત્તિસ્થાન છે અને એનું આખુ યત્ર એવી જ રીતે ગોઠવાયેલું છે કે એ ગમે તેવી પવિત્ર તેમ જ સુંદર વસ્તુ હોય તેને પણ અપવિત્ર બનાવી દે જેમ કાપડ બનાવવાના સાચાકામમાથી કાપડ બને તેમ અપવિત્ર વસ્તુ ઉત્પન્ન કરનાર સાચાકામમાથી અપવિત્ર વસ્તુઓ જ બનીને નીકળે. એમાં તમે દૂધ ભરે, ઘી ભરો, સાકરથી એને ગળ્યુ કરો, પણ એ અમેધ્યનિ છે એટલે એ સરસ વસ્તુઓ પણ અતિ અપવિત્ર થઈ એમાથી એવી જાતની થઈને બહાર પડશે કે એના સામુ જેવું પણ નહિ ગમે એના સ્પર્શમાત્રથી સરસ વસ્તુ કેવી વિરૂપ થઈ જાય છે તેનું દષ્ટાંત દૂધ પૂરું પાડે છે દધને પીધા પછી તુરત જ વમન થાય તો તે વખતે જે દૂધ બહાર નીકળશે તે પેદા ફોટાવાળુ અને સ્પર્શને નાલાયક બની જશે દૂધ જેવા સુદર પદાર્થને એક ક્ષણવાર શરીરને સબ ધ થાય ત્યા એ કેવુ બની જાય છે તે ખાસ વિચારવા જેવું છે આવા શરીરને માટે “શોચને સકલ્પ કરવો એ મૂઢતા છે એને ન્ડવરાવવાથી કે એના પર સુગ ધી દ્રવ્યો લગાડવાથી એ પવિત્ર થઈ જાય છે એમ માનવું એ તો સરિયામ અજ્ઞાન છે એને ગમે તેટલું ન્ડવરાવો અને ગમે તેટલી વાર એને પખાળો પણ એ તો
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy