SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭થી શાંતસુધારસ ઉપરાત વ્યાપાર, પૈસા, વ્યાપારની ચીજો, નાણાની કોથળીઓ, તિજોરી વગેરે અનેક ચીજો વસાવી, પણ એ સર્વ મૂકીને અને ચાલ્યા જવું પડશે. જે જહાંની તે તહાં રહી રે, કેઈ ન આવી સાથે તે જે ક્યાં હતુ તે ત્યાં રહી ગયુ આ સર્વ પરભાવની રમણતા, પરને પોતાના માનવાની ભૂલોનાં પ્રાયશ્ચિત્ત, અવિશ્વાસ્ય ઉપર વિશ્વાસ કરવાના દારૂણ પરિણામ કેઈના દીકરા થયા, કેઈના ભાઈ થયા, કેઈના પિતા કહેવાયા, કોઈના ભત્રીજા થયા, કોઈના ભાયાત થયા, કોઈના જ્ઞાતિજન થયા અને અંતે એ આખા કુટુબને છેડી છેડે છેડી રે ચાલ્યા એકલા, હાર્યો જેમ જુગારી રે એવી વાત થશે. જે પિતાનાં નથી, જેમાં સ્વ જેવું કાઈ નથી, તેને પોતાના માન્યા, તેને ઘરના ગણ્યા એનાં એ સર્વ વિપાક છે. એને સાર એ છે કે એવી રીતે એકઠો કરેલો પરિગ્રહ કે કુટુંબ કોઈ પછવાડે આવતાં નથી એ તે જ્યાં હોય ત્યા પડ્યા જ રહે છે. કેઈ પણ પ્રકારનું અનુસરણ એનું થતું નથી એ આપણે અહી પણ જોઈએ છીએ. જેઓ મેટી મિલ્કત મૂકી જાય છે તેને પણ ચાર કે એક જ નાળીએર બ ધાવે છે અને એનું આખું કુટુંબ અહી જ રહી જાય છે. તુ એવી જ રીતે પછવાડે અનેક કુટુંબને રડાવીને અહીં આવ્યો છે. આ સર્વ જાળ છે, રમત છે, વિલાસ છે આવી અતિ ધૃણાસ્પદ રમતને તુ એક પ્યાદે થઈ પડ્યો છે ઘર ભાડે છે, છોડે છે અને વચ્ચે ઊડી જા ત્યારે બાજીમાંથી નીકળી જાય છે. આ તે તારી દશા હોય ? તું કાના જેવી રમત રમી રહ્યો છે ? અને કેવો પરભાવમાં રમી રહ્યો છે તેને વિચાર કર. આવી રીતે શરીર પણ પર છે, ધનમાલ-ખજાના પણ પર છે અને કુટુંબના સર્વ માણસે પર છે એટલી હદ સુધી આપણે આવ્યા એમાં જે રમતા તે પરભાવરમણતા કહેવાય. એ એક વાર સાચી સમજ્યા એટલે બેડો પાર છે ! ૪. આ ઉપર કહેલી વાત બરાબર સમજી જઈને તુ પારકાના પરિચયરૂપ પરિણામને છોડી દે. પરિણામ એટલે પરિણતિ અથવા છેવટ અત્યારે તારુ સર્વ લક્ષ્યબિન્દુ પર ઉપર છે તે વિચાર કરે છે ધનના, તુ વાત કરે છે નેકરી કે વ્યાપારની, તુ ચર્ચા કરે છે. રાજ્યની, તુ ઘાટ ઘડે છે દુનિયામાં યશ મેળવનાના, તુ વાચે છે, વિચારે છે, બોલે છે સર્વ પરને માટે પરમા તારા શરીરને પણ સમાવેશ થઈ જાય છે તે વાત આ ભાવનામાં ખૂબ યાદ રાખજે તને મોહ–મદારીએ દારૂ પાઈને એ મસ્ત બનાવી દીધો છે તારુ આખુ બકધ્યાન પરમાં છે, પર માટે છે, પર પરવે છે આવી રીતે પર-પરિચયની પરિણતિમા અથવા પર–પરિચયના પરિણામોમાં તુ આખો વખત રમ્યા કરે છે અને એ પર–પરિચયને મૂળ હેતુ મમતામા તેમ જ પરિતાપમાં છે. તને પર ઉપર એવી તો મમતા લાગી છે કે તુ તારા કુટુંબ, તારા વ્યાપાર અને તારા ઘરબારને તારા માનીને, એટલી નાની તારી દુનિયાને આખી દુનિયા ગણું બધાયા કરે છે અને એ જળને ઉકેલવા જતા નવ જગ્યાએથી જરા છૂટે છે ત્યાં તેર
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy