SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ બાતમુધારર્સ વાર જે પણ ન ગમે તે અધમ પાઠ ભજવે છે. એ ભિખારી થઈ ભીખ માગે છે, એ રાજા થાય છે, એ હાથીના હોદ્દા પર બેસે છે, એ ગધેડા પર બેસે છે, એ હકમ કરનાર થાય છે, એ હુકમ ઉઠાવનાર થાય છે એ વક્તા થાય છે, શ્રોતા થાય છે, લલો-લગડો થાય છે, આધળો-અહેરે થાય છે. રોગી થાય છે, દીન થાય છે, પ્રતાપી થાય છે, લકરનો સરદાર થાય છે, વેપારી થાય છે, દલાલ થાય છે અને ટકાનો ત્રણ શેર વેચાય તે પણ થાય છે. સસારભાવનામાં જોઈ ગયા તેવા અનેક રૂપ તે લે છે, પણ એ સર્વ એના ભેળનાં રૂપો છે, એના શુદ્ધ કાચનત્વમાં એબ લગાડના રૂપ છે જેટલો ભેળ એનામાં કર્મનો ભળે છે તેટલો તે અસલ સ્વરૂપમાંથી દૂર ને દૂર ખસતો જાય છે. એ મૂખે દેખાય તો તેમાં પણ ભેગ છે અને દુખી દેખાય તો તેમાં પણ ભેગ છે. એને સસારમાં ગમે તે સ્થિતિમાં જોવામાં આવે તે સર્વમાં એ છો-વધતો ભેગ જરૂર છે. પણ જ્યારે એનું શુદ્ધ કાચનમય સ્વરૂપ હોય, જ્યારે એ પ્રાપ્ત કરે, પ્રકટાવે અને કર્મને ભેગ દૂર કરે ત્યારે એ ભગવાન થાય છે, સચ્ચિદાનંદસ્વરૂપ થાય છે, પરબ્રહ્મ થાય છે, સિદ્ધ થાય છે, અજરામર થાય છે, શાશ્વત સુખનો ભોકા થાય છે, અનંત જ્ઞાન-દર્શનમય થાય છે, અન ત ગુણમાં વિહરનાર થાય છે, વિશિષ્ટ ગુણપન્ન સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ આત્મધર્મમાં અન ત કાળ સુધી વિલાસ કરનારા થાય છે અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એકલે આવનાર અને એકલે જનાર આત્મા કર્મના સધાનના ભેગથી કે થઈ જાય છે, એ ન હોય ત્યારે એની કેવી સુદર દશા હોય છે અને એ કેવો સ્વભાવગુણમા લીન હોય છે તેનો ખ્યાલ કરી એનું એકત્વ ખૂબ વિચારવાની જરૂર છે. એ એકત્વભાવવાળે આત્મા પરભાવરૂપ દારૂના કેમ કે કથેરે ચઢી ગયેલ છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે. ૭. આ યુદ્ધ કાચનસ્વરૂપ ભગવાન કેવો છે તે જગ જોઈ લે અનંત જ્ઞાન-દર્શન–ચરણના પર્યાયથી વ્યાપ્ત છે આ દુનિયા, એની અંદરના સર્વ પદાર્થો, સર્વ ભાવોને એના ભૂત, ભવત અને ભાવી આકારમાં જે બતાવી આપે, તેને બંધ કરાવી આપે તે “જ્ઞાન” સર્વ પદાર્થોનો સામાન્ય બાધ આપે તે “દર્શન 'જ્ઞાનમા વિશેષ બોધ થાય છે, દર્શનમાં સામાન્ય બોધ થાય છે અથવા થયેલા બેધમાં દઢ શ્રદ્ધા થવી તે દર્શન અથવા સમ્યકત્વ. આત્મપ્રદેશની સ્થિરવૃત્તિ અને ગુણમાં રમણતા એ “ચારિત્ર” ઉપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી કહે છે કે જ્ઞાત્રિ સિવાતામત સિવ એટલે સિદમા–મુક્ત છે મા પણ સ્થિરતાપ ચારિત્ર હોય છે. નિજ ગુણમાં સ્થિર રહેવું, અચળ આત્મપ્રદેશ રહેવા એ સર્વ અનત ચારિત્રના વિભાગમાં આવે છે આમા આવા અન ત ગુણોથી એના મૂળ સ્વભાવમાં વ્યાપ્ત છે એનામાં આ સર્વ ગુણે “ઠાસી ઠાસીને ભરેલા છે અને એ એના સહભાવી ધર્મો છે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy