SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] રહે છે, એને મનુષ્ય તો શું, પણ કઈ જનાવર, જતુ કે સ્થાવર પણ પોતાનો વિરોધી લાગતો નથી. આ સર્વ જીવો તરફના મિત્રભાવને પરિણામે ખૂબ વિશાળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને એક વાર વિશાળ બુદ્ધિપૂર્વક મિત્રભાવ બ ધાયો એટલે સ્વરૂપલક્ષી આત્માનુસ ધાન થતા વખત લાગતું નથી. એક વખત સર્વ જીવો તરફ મિત્રતા આવી એટલે પછી ચારે તરફ પ્રેમભાવે જોવાનું સૂઝે છે. પ્રેમભાવે જોતાં એમાં ગુણ જ દેખાય છે ગુણને જોઈને પ્રેમ થાય, ઉમળકા આવે, હૃદયપૂર્વક એને અભિનદન અપાઈ જવાય ત્યારે ગુણપક્ષપાત સાહજિક બને છે અને ગુણને ઓળખતા, એનું ખરું મૂલ્યાકન કરતા, એના સંબધી ચર્ચા કે વિચારણા કરતા પ્રાણી આખરે ગુણવાનું થઈ જાય છે ગુણને વિચાર કરનાર, ગુણ તરફ પ્રેમ બતાવનાર પિતાની આસપાસ ગુણનું વાતાવરણ જમાવે છે અને એ રીતે આત્માનુસધાન અત્યંત સરળ, સુંદર અને સફળ બને છે. આ સર્વ આત્મપ્રદેશમાં ફરવાની ખરેખરી ચાવીઓ છે. એમ કરતા – આત્માવલોકન કરતા બાહ્ય પ્રદેશમાં અનેક પ્રાણીઓ વ્યાધિ, વિયોગ, મારામારી અને નકામા તડફડાટમાં પડેલા દેખાય છે એવા પ્રાણીઓના દુઃખ દૂર કરવાની તીવ્ર ઈચ્છા થાય એમાં કણ– વિશાળ દયા છે એવી વૃત્તિથી પ્રાણી સ્વથી બહાર જતા શીખે છે, સર્વ દુ ખ દૂર કરવાની ભાવના પાછળ એને આત્મલક્ષી ભાવ રહે છે અને પ્રતિકારભાવનામાં સર્વ જીવોના આત્મા તરફ વૃત્તિ દોરાતા સ્વાત્મભાવ સાથે અનુસ ધાન થાય છે. આ રીતે કરુણાભાવમાં પણ આત્માનુસધાન જરૂર થાય છે માધ્યચ્યવૃત્તિ તો આત્માનુસધાન જ છે. દોષ તરફ જ્યારે શાતવૃત્તિ થાય, કર્માધીના પ્રવૃત્તિનું રહસ્ય સમજાય, આખી દુનિયાને સુધારવા પિતે કન્ટ્રાકટ લીધે નથી એવી સમજણ પૂર્વકની બેદરકારી–વૃત્તિ થાય ત્યારે આત્માનુસધાન પ્રત્યક્ષ દેખાઈ આવે છે દુનિયાદારીના માણસે તે પોતાને ન ગમે તેવી હકીકત બને એટલે તેના તરફ ઉઘાડો વિરોધ બતાવે છે, જાહેર ટીકા કરે છે, વ્યક્તિ તરફ અભાવ દાખવે છે અને પિતાનું ચાલે ત્યા સુધી તેવા માણસનો તિરસ્કાર કરે છે પણ આત્માનુસ ધાન કરનારની રીતિ તે કાઈ અને ખી જ હોય છે. એ એના મૂળમાં ઊતરી અસલ કારણનું કારણ સમજે છે અને જરા પણ ગૂચવાયા વગર એ દેવ તરફ ઉપેક્ષા અથવા માધ્યશ્મભાવ રાખે છે એ રીતે આ ચારે પરાભાવના આત્માનુસ ધાનરૂપ છે અથવા તેનું પરિણામ છે. ગ્રંથનું મૂલ્યાંકન આ રથમાં એ રીતે આત્મપ્રદેશમાં વિહરવાનુ છે કવિત્વદષ્ટિએ કલ્પનાશક્તિને જેમ આપે એવાં વર્ણને એમાં નથી, એમ કથાનુગની રસવિતા નથી, એમાં નવલકથાના વિહાર
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy