SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ એકવભાવના ૧૪૩ થઈ પડ્યો. દાહની બળતરામાં અવાજના ધમધમાટે વધારો કર્યો દાહની બફમમાં નમિરાજાએ બૂમ મારી “આ અવાજ બંધ કરો મારુ માથુ ફરી જાય છે. આ સર્વ ઘોઘાટ શ?” સ્ત્રીઓ ચતુર હતી તેમણે વધારાના ચૂડા ઉતારી માત્ર એક સૌભાગ્ય-કંકણ રાખ્યું. પાછી ફરી ચ દન ઘસવા લાગી ગઈ નમિરાજા બે મિનિટમાં પાછા બોલ્યા “અવાજ કેમ બંધ થયે?” વૃદ્ધ વૈદ્યરાજે જવાબ આપ્યો “આપની પાંચસે સ્ત્રીઓ આ૫ને લેપ કરવા માટે બાવનાચદન ઘસતી હતી તેનો એ અવાજ હતું.” નમિરાજા–“ત્યારે શું ઘસતી બ ધ પડી ગઈ?” વૈદ્યરાજ–“ના મહારાજ ! તે ઘસે છે, પણ તેમણે કકણો સર્વ કાઢી દૂર મૂક્યા છે માત્ર એક સૌભાગ્યસૂચક કંકણ જ દરેકે રાખ્યું છે તેથી અવાજ થતો નથી ” “ . ( ' નમિરાજા–“અહો ! ત્યારે અનેકનો જ અવાજ છે, એકમાં જ ખરી શાંતિ છે. મારા માથા ઉપરથી અત્યારે મોટો બોજો ઊતરતો જણાય છે, તે એક ક કણને જ આભારી છે. ત્યારે મજા તો ખરી “એક મા જ છે. વધારે થાય ત્યા તો ખડખડાટ જણાય છે, ત્યારે આ એકમાં તો આનંદ છે. છે આમ બોલતા બોલતા એને એકતાનું ભાન થયુ. થતાંની સાથે એ ઊભે થયે પોતે એકલે છે, એકલો આવ્યા છે અને એક્લો જવાનો છે જે ખડખડાટમાં પોતે પડ્યો છે તે અનેકને લઈને જ છે. આ વિચારમાં એને દાહ ચાલ્યો ગયો એ વિચારની અ દર ઊતરી ગયે. સમજ્યા તેવા જ રાજેશ્રી ઊઠયા અને ઊઠીને મુનિ પાષ્ટ્ર ધારણ કરી એકતાને અનુભવ કરવા લાગ્યા. રાજ્ય , છેડથુ, વૈભવ છોડ્યા, અલકા છોડ્યા, સ્ત્રીઓ છેડી અને અને સર્વ છોડી એક્તામાં લીન થઈ અતે પરમાનદસ પદને પામ્યા એ પ્રત્યેકબુદ્ધ થયાઅ ને “રાજષિ કહેવાયા. અનિત્યભાવનામાં કરક નુ દષ્ટાંત આવ્યુ હતુ તેવા આ બીજા પ્રત્યેકબુદ્ધ થયા વિચારકની આ દશા હોય. એ રાજ્ય ભગવે, પાચસે સ્ત્રીઓ સાથે વિલાસ કરે, પણ સાચી વાત સમજે એટલે ચાલી નીકળે. પછી ધનાની જેમ ખેળભરેલું શરીર હોય તો પણ શુ ? અને ચિલાતીપુત્રની પેઠે હાથમાં મનુષ્યના માથાની પરી હોય તે ચે શું? એ તે તજવી ત્યારે એક એક શુ તજવી? શાલિભદ્રને ધને કહે કે “ચાલ! આમ વાતે યે કાંઈ દહાડો વળે?” આ દશા વિચારકની હોય. હાથમાં માથાની ખોપરી હોય પણ “ઉપશમ, વિવેક, સો વર” એટલા શબ્દો સાભળે ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે અને ખૂની માણસ એ જ ભવમાં મેક્ષ સાધે છે એ દશા વિચારકની હોય તેટલા માટે જે એક વાર સમતાપૂર્વક ખરો એકત્વભાવ સમજાય તો પછી દશા ફરતા અને પરમાનંદપદ પ્રાપ્ત કરતા વખત લાગતું નથી. ત્યારે એ એકત્વભાવના કેમ ભાવવી તેનું સ્વરૂપ હવે ઘણું સાક્ષેપમા વિચારી જઈએ ઉપોદઘાતમાં ઘણી વાત થઈ ગઈ છે તેથી અષ્ટકમાં સંક્ષેપ કરી બાકીની વિચારણા વાચકની વિચારશક્તિ પર છેડવી ઠીક લાગે છે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy