SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારભાવના ૧૨૩ અલ કારરૂપ હોવા સાથે લાક્ષણિક, મર્મસ્પશી અને વિચારણીય છે. મોહરાજાનો આખો પરિવાર વિચારવા યોગ્ય છે, એની શક્તિ, કાર્યપદ્ધતિ અને કામ લેવાની આવડત વિચારવા યોગ્ય છે એના રાગ-દ્વેષ-છોકરા અને સેળ નાના બાળકો ખૂબ સુંદર રીતે ચીતર્યા છે એ જ પ્રસ્તાવમા વિવેકપર્વત પર ચારિત્રરાજને આખો પરિવાર ચીતર્યો છે તે પણ એટલું જ આકર્ષક છે. આ આખો સ સાર – જેની આસપાસ આપણે તાપણી તાપી બેસી રહ્યા છીએ અને જેમાં અનેક વખત પાછા પડીએ છીએ, અપમાન ખમીએ છીએ, મૂઝાઈ એ છીએ, છટકી જવાના સ ક કરીએ છીએ અને અને જે મળ્યું હોય તેટલાથી ચલાવી વધારે મેળવવાની આશામાં ગૂચવાઈએ છીએ–તેને વિસ્તારથી ખ્યાલ કરવાની જરૂર છે. જરા વિચારીએ. પ્રથમ આ શરીરમાં આપણે ગૂચવાયા છીએ. એ શરીર કેટલાં વર્ષ ચાલશે? એ આપણું નથી, સદા સાથે રહેવાનું નથી, તે તો આપણે અનેક પ્રસ ગે જઈ ગયા પછી આપણે સ્ત્રી કે પતિમા – ચવાઈ એ છીએ. જેઓ સંસારમાં એટલા પૂરતા ન પડ્યા હોય તેમને આ વાત લાગુ ન પડે, પણ બીજા સર્વને પ્રથમ પંક્તિએ પિતા પછી સ્ત્રી બધા આવે છે. એની ખાતર સસારમાં પડી રહેવુ ઉચિત છે? એમા નસર્ગિક પ્રેમ છે કે વિષયાન્ધતા છે એને કદી વિચાર કર્યો છે ? એમાં પરસ્પર સાચો રાગ છે કે કીડાના સ્થાને માત્ર છે એ વિચાર્યું છે? બહું ઊંડા ઊતર્યા વગર આ વાતનો ખ્યાલ નહિ આવે પછી પુત્ર-પુત્રીઓ આવે. તેઓ શક્તિ કે આવડત વગરના છે એમ ધારી તેમને અન્યાય સમજુ માણસ તો ન જ કરે અને એની ખાતર અન ત ભ્રમણને સ્વીકાર તો સાદી બુદ્ધિવાળો પણ ન જ કરે આ ઉપરાત સગાંસબંધી કે માતા-પિતાના માની લીધેલા નેહને પણ સમજુ માણસ વિવેક દષ્ટિએ વિચારે. એની ખાતર સસારમાં કઈ પણ પડતુ નથી અને પડવાની ભ્રમણા લાગે છે તે કલ્પિત હોઈ તદ્દન ખોટી છે માત્ર માન્યતામાં છે તે બરાબર પૃથક્કરણ કરતા જરૂર સમજાય તેમ છે જે ઘરબાર કે પૈસાન ચોથા ભાગ પણ પરભવમાં સાથે લઈ જવાતું હોય તો કઈ છોકરાઓને વારસે પણ ન આપે આ પ્રાણીને ધન ઉપરનો નેહ છે એ તો ભારે આકરે છે એને ધનના વિચારમાં મજા આવે છે, ધનની વાતમાં ખૂબ રસ પડે છે, ધન કમાવા માટે ત્યારે તે એકરસ થઈ જાય છે તેમ જ ધન અને ધનની ઝંખનામાં એ વિવેક પણ ભૂલી જાય છે. પિતાની જરૂરીઆત કેટલી તેનો એ કદી સરવાળે કરતો નથી અને એના કૂટ ખ્યાલ પ્રમાણે એને સતતિ માટે કેટલું જ રાખવું ઘટે એ કદી વિચારતો નથી એ તો જમેના સરવાળા કરવામાં અને સરવૈયા જોવામાં એ ઊ ડો ઊતરી જાય છે અને પછી તેને અને એનો એવો પાત થાય છે કે એની વાત કરવી નહિ. ન્યાય કે અન્યાય, નીતિ કે ધર્મ, સને બાજુએ મૂકી એ તો ધન પાછળ દોડે છે અને હેતુ કે અર્થ વગર સસારને વધારી મૂકે છે. - આ આ સ સાર છે. એમાં બાહ્ય ઉપાધિઓને પાર નથી. સર્વના મન જાળવવા અને કમીમાં ખપવું એ એટલી મુશ્કેલ વાત છે કે એમાં ઘસડબેરાને પાર નથી અને
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy