SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શાંતસુધારસ શેનુ અભિમાન કરે છે? અને કાચમા મુખડુ નીરખી શેના ઉપર મલકાય છે? તુ તા કર્મને આધીન છે, ક પરિણામ-રાજાના રચેલા મેાટા રાસનેા એક નાટકીએ છે અને કાળપરિણતિ દૈવી સાથે બેસી એ રાજા નાટક જુએ છે તારે તે ઉત્તરાત્તર વેશ ભજવવાના જ છે. ભવિતવ્યતા દેવી ગાળી આપે તે લઈ તારે એક પાઠ તેના હુકમ પ્રમાણે ભજવવાને છે. તે તેા કૈક પાઠ ભજવ્યા છે, દરવખત નવા નવા રૂપ લીધા છે આમા તુ કોઈ વખત કદાચ તારા મનથી સારુ ઉન્નતિનુ સ્થાન પામ્યા તેા તેમા પણ તારી હુશિયારી કાંઈ નથી. તને તે પાઠ ભજવાવનારા તે અન્ય છે, તેને તે એળખ્યા નથી. પણ તારે એળખવાની જરૂર છે અને એને એળખીશ એટલે તારુ આખુ નાટક તારા ધ્યાનમા આવી જશે નવા નવા રૂપની ગેાઠવણ કેવી રીતે થાય છે તેની આખી ઘટનાનુ દર્શન ઉપમિતિકારે આખાદ ચીતર્યુ છે. તે ત્યાથી સમજવા યેાગ્ય છે, પણ એમા મલકાવા જેવુ કાઈ નથી નાટક વિચારતા આખા સસારનું દર્શન થાય છે અને તે વિચારણા અત્ર કર્તવ્ય છે ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમા (ગાથા ૩-૪) કહ્યુ છે કે —— या देवलोपसु नरयेसु वि एगया, गया आसुर कार्य अहाकम्मेहि गच्छई । गया खत्तियो होइ, तओ चंडालवुक्कसो, तो कीडगो य, तओ कुंथुपिपीलिया || આ જીવ કેાઈવાર દેવલાકમા ઊપજે છે, કેાઈવાર નારકીમા ઊપજે છે, કઈ વખત ભુવનપતિ આદિમા અસુર થાય છે એના કર્મ પ્રમાણે એ જાય છે કેાઈવાર એ ક્ષત્રિય થાય છે, કેાઈવાર ચ ડાળ અને વ ંસ કર ( જુદી જુદી જાતિનાં માખાપવાળા ) થાય છૅ, કેાઈવાર કીડા થાય છે, કેાઈવાર પતગ થાય છે, કેાઈવાર કુક્ષુઓ થાય છે, કેાઈવાર કીડી થાય છે” હવે કથા દેવ અને કન્યા કુથુએ ? કયા ભુવનપતિ અને કયાં પત ગિયા ? આ તે માહ શે! અને ચાળા શા ? તેવી જ રીતે જ્ઞાના વકાર કહે છે કે— स्वर्गी पतति साक्रन्दं, श्वा स्वर्गमधिरोहति । श्रोत्रिय सारमेयः स्यात्कृमिर्वा श्वपचोऽपि वा ॥ સ્વર્ગના દેવ રવડતા રવડતા નીચે પડે છે અને કૂતરા મરીને ઊચે સ્વર્ગમાં જાય છે મોટા શ્રોત્રિય બ્રાહ્મણુ (સ્પર્શાસ્પર્શમા ખૂબ માનનાર અને કૂતરાને કે અસ્પૃશ્ય જાતિને અડી જવાય તેા ન્હાનાર) કૂતરા થાય છે, કરમિયા થાય છે અથવા ચડાળ થાય છે.? આ સ ખનવાદ્વેગ છે, એમા નવાઈ જેવુ* કાઈ નથી સ સારનુ નાટક ચાલે છે અને તેના પાત્રા કર્મરાજા નચાવે તેમ નાચે છે અને તે ફરમાવે તેવા વેશ લે છે નવા નવાં રૂપ લેવા તે ને અધીન છે, તેની સત્તાના વિષય છે અને તેમા તારે કાઈ ઊચા-નીચા થઈ જવાનુ નથી. ખરાખર નાટક ો અને વિચાર, પણ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy