SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારભાવના છે ગેયાષ્ટક પરિચય ૧ સ સારનુ નાટક બરાબર જોઈ લે પછી તને ખાતરી થશે કે આ સ સાર અતિ દારુણ (ભય કર) છે તુ જન્મમરણાદિ ભયથી ડરી ગયો એમ જરા લાગે છે, પણ સાર આ ભય કર છે એમ તું સમજ્યો નથી વાત એમ છે કે આ પ્રાણીએ સ સારને એના ખરા આકારમા ઓળખે જ નથી અને એ હજુ ચક્કગ સ્થિતિમાં ફર્યા જ કરે છે એનું કારણ શું છે તે તપાસીએ મહરાજ એનો ખર શત્રુ છે, એ એને ઊંધા પાટા બધાવી આખી ખોટી ગણતરી એની પાસે કરાવે છે પ્રાણી સમજે છે કે મારી અગવડ વખતે મારા સંબધીઓ હશે તે કામમાં આવશે અને તેટલા ખાતર એ અનેક અગવડો અમે છે, એની ખાતર એ પોતાના માન્ય સિદ્ધાન્તોને અને કરેલા નિર્ણયને પણ ભોગ આપે છે અને ગાડા જે બની ત્યા સુખ નથી ત્યાથી સુખ શોધે છે. મૂળ હકીક્ત એ છે કે આ મારા-તારાનો વ્યવહાર એ મેહરાએ જ કરાવ્યો છે. એ મહારાજાને તુ તારે હિતસ્વી સમજે છે અને તે તેને સાચો રસ્તો બતાવનાર છે એમ તુ જાણે છે, પણ ખરી રીતે તે મેહરાય જ તારે ખરો શત્રુ છે અને તને ફસાવવા તે તદ્દન ખોટા પાટા બ ધાવે છે કદાચ તુ એ મહરાજાને ઓળખતો નહી હોય તેથી તેને ટૂંકામાં એટલું જ કહેવાનું કે “હું અને મારુ ને માત્ર ભણાવનાર એ મહારાજા છે અને વધારેમાં વાત એ છે કે એ તારે શત્રુ છે આ વાતની જે તને ખબર ન હોય તો સમજી લે. એને અને વાત મુદ્દાની કરવાની છે. એક તો એ કે એ તારા શત્રુ મેહે તને બરાબર ગળેથી પકડ્યો છે, એણે તારી બોચી પકડી છે અને તેને બરાબર પોતાના સપાટામાં લીધે છે. તે મલ્લકુસ્તી જોઈ હોય તે તને માલૂમ હશે કે એક મલ્લ જ્યારે સામા મલતુ ગળું પકડે છે ત્યારે તેને છૂટવું ભારે મુશ્કેલ પડે છે, તેનાથી છૂટવામાં ભારે બળની (પુરુષાર્થની) અપેક્ષા રહે છે અને બીજી વાત એ છે કે અત્યારે તુ એક આપત્તિમાથી બીજીમાં અને બીજીમાથી ત્રીજીમાં પડે છે અને એમ ચારે તર્ગ્યુ વિપત્તિથી ઘેરાઈ જાય છે. એ સર્વને કરનાર એ મેહ છે તને વારવાર એ આપત્તિમાં ઘસડી જાય છે અને અત્યારે તેને જે આપત્તિઓ દેખાય છે એ સર્વ એ મોહરાજાની બનાવેલી છે અને તે તરફ લઈ જનાર પણ એ જ મહારાજ છે આખા સંસારની રચના સામાન્ય રીતે જોવામાં આવે તો મહા અધિકાર ચારે તરફ વ્યાપેલો દેખાશે અને જાણે આપણે માટે એક પછી એક જાળો-ફસામણીઓ (Trans) ગોઠવાયેલી હોય એમ લાગે છે. એક ગૂંચવણમાથી ઉપર આવીએ ત્યાં બીજી ઊભી થાય છે અને એમ ને એમ ચાલ્યા જ કરે છે અને જીવનને અ ત આવે છે, પણ ગૂંચવણને અત આવતો નથી સસારના ચકાવામાં પડેલો કેઈ પણ પ્રાણી સર્વ ગૂંચવણેને નિકાલ કરીને જતો જ નથી.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy