SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] કાળને અધ્યાસ એને સંસાર તરફ ઘસડી જાય છે અને વળી કાંઈક પ્રાપ્તિ એની ટૂંકી નજરે થઈ જાય એટલે લાગેલા ધાને વિસરી જઈ પાછે એ ઘરેડમાં પડી જાય છેએક સગા, નેહી, મિત્ર, પત્ની કે પુત્રનું મરણ થાય ત્યારે એને અનેક જાતના વિચાર આવે છે, એ નેહસબ ધની અલ્પતા પર, એમા રાચવાની અધતા પર અને એની અસ્થિરતા પર છેડે વિચાર કરે છે, કાઈક ઉતાવળા પણ આછાપા અર્ધદગ્ધ નિર્ણો પણ કરી નાખે છે, પણ થોડા દિવસમાં એનું પૃથક્કરણ કર્યા વિનાનું દુ ખ વિસારે પડે છે. દુનિયાની ઘરેડમાં ચઢી જઈ પાછે એ હતું તેવો ને તે થઈ જાય છે અને આ રીતે પ્રાપ્ત કરેલ તકને એ ગુમાવી બેસે છે આવી જ તકે એ પોતે માંદા પડે ત્યારે પણ કેટલીક વાર એને પ્રાપ્ત થાય છે એને જરા અકળામણ થાય છે એટલે એ જીવનની અસ્થિરતા સમજવા માડે છે, વધારે આકરા પ્રસગોમા એ પરભવમાં શું થશે એની કલ્પના કરવા લાગે છે અને વસિયતનામું કરીને કે ધર્માદ કરીને કઈ પણ રીતે અહી મળેલ કે મેળવેલ મિક્સ કે એનો નાનો-મોટો ભાગ આગળના ભાવમાં પણ મળે એ હિસાબે એના ઉપરના તીવ્ર મહિને પરિણામે એ વૈરાગ્યના ઓઠા નીચે કાઈ આછી-પાતળા – ચવાડાભરેલા નિર્ણયો કરવા - લાગે છે, પણ જ્યા વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં ફેરફાર થયે, હાલચાલ થવા માંડી અને નબળાઈ દૂર થઈ કે પાછા “એ ભગવાન એના એ એવી એની દશા થઈ જાય છે. છે. આવી જ પરિસ્થિતિ કોઈ સુંદર વ્યાખ્યાન સાભળે, કઈ મહાત્માની વાણીનું શ્રવણ કરે, કોઈ સુંદર આત્મજ્ઞાનની ચર્ચામાં ભાગ લે અથવા કઈ અધ્યાત્મ કે યોગના પુસ્તકનું પિતે જરા શાંત વાતાવરણમાં વાચન કરે ત્યારે થાય છે. તે વખતે એને જૈરા વિરાગ – ઉપરઉપરનો ખાલી તરવરાટ થાય છે, એને આ જીવનના વિલાસે, પ્રયાસો કે ધમાલ પર જરા નિર્વેદ આવે છે, પણ એ વાચન કે શ્રવણની અસર છૂટી ગઈ કે પાછે એ સંસારની ઘરેડમાં પડી જાય છે અને કરેલ વિચારો કે ઘડેલા સ્વપ્નોને સ્થાને એ હતો તેવે ને તે અને કેટલીક વાર તે વધારે રસથી સ સાર તરફ ચાલ્યો જાય છેઆ સર્વ ગુચવણવાળી પરિસ્થિતિઓ ખૂબ વિચારણું માગે છે, આવા અવ્યવસ્થિત જીવનપલટાઓ ખૂબ પૃથક્કરણ માગે છે અને આખા જીવનના સાધ્યને નિર્ણય, સાધ્ય તરફ ગમનનો નિર્ણય અને એને ચોક્કસ વળગી રહેવાનો નિર્ણય ખૂબ વિચારણા માગે છે એ કાર્ય આ ભાવનાઓ કરે છે આપણે ઘણીવાર વાંચીએ છીએ કે અમુક માણસે ખૂબ વિચારણું કર્યા પછી સસારને ત્યાગ કર્યો અને પાછો નવીન વેશ છેડી સ સાર તરફ ચાલ્યા ગયા. આપણે અનુભવીએ છીએ કે અમુક માણસે વૃદ્ધવય સુધી ત્યાગધર્મ સ્વીકાર્યા પછી ઘડપણમાં એણે અમુક સ્ત્રીના હાવભાવથી લલચાઈ સ સાર આદર્યો, આપણે જોઈએ છીએ કે શુદ્ધ જીવન ગાળનાર પૈસાની લાલચમાં આબરૂ ગુમાવી બેઠા. સ્ત્રીની લાલચમાં વિષયી થઈ ગયા, આનદ મેળવવાની
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy