SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારભાવના ૧૦૩ આવા મનોવિકારે અ દર જામ્યા હોય તેવા સંસારમાં આ પ્રાણીને શાતિ ક્યાથી વળે ? એ મનમાં ધારે કે ડું મેળવી પછી અટકશુ, પણ ત્યાં તો પરણે, પછી છોકરા થાય, પછી તેના સગપણ–લગ્ન કરવા પડે અને એમ સ સારનું ચક વધતું જાય અને ધારણ ધૂળ મળે લાભ થાય તેમ લોભ વધે છે “નહીં ચાહો તહીં ત્યોહો ત્રાહી ઢોહો વર્લ્ડ” એ જાણીની વાત છે લાભ થાય તેમ લોભ વધે બે વાલ સેનુ લેવા આવનાર બ્રાહ્મણને વિચાર કરવા સમય મળ્યો તો આખા રાજ્યથી પણ સતોષ ન મળ્યો. આવો લોભ જે સસારવનમાં જામ્યો હોય ત્યા સુખે કેમ રહેવાય ? નિરાતે કેમ જીવી શકાય ? અને સુખના સ્વપ્ના પણ એમાં કેમ આવે ? દવ લાગે ત્યારે તેને તાપ ચારે તરફ લાગે છે તેમ લોભ ચારે બાજુએ સંતાપ કર્યા જ કરે છે અને વધતો લાભ થાય, ધારેલો લાભ થાય તો પણ આ પ્રાણીને સંતાપ થતો જ નથી. ઈદ્રિયભોગેની “તૃષ્ણા તો વળી એથી પણ આઘા છોડે છે. જે ગલમાં પાણીની તરસ લાગે ત્યારે જેમ બે માઈલ છેટે પાછું – ઝાઝવાના જળ દેખાય છે, પણ ત્યાં પહોંચે ત્યા જળ તે એટલું જ દર દેખાય છે. વસ્તુત જળ છે નહિ ત્યા તે જળ ધારે છે અને પીવા દેડે છે, પણ એની તૃપા કદી છીપતી નથી અને એ તે હરણની માફક ફાફા મારી દોડાદોડ કર્યા કરે છે એને મનમાં સ્ત્રીભાગની ઈચ્છા થઈ, પછી તે રખડે છે, પ્રાર્થના કરે છે, કાવાદાવા કરે છે, પણ એની વિષયસેવનની ઈચ્છા પૂરી થતી જ નથી અને કદાચ કોઈ વાર વિષય સેવ્યો તે પણ તેમાં તેને તૃપ્તિ થતી નથી એ તૃષ્ણ એવી વિચિત્ર છે કે એ દોડાવ્યા જ કરે, સહજ તૃપ્ત થાય તો વધે છે અને તૃપ્ત ન થાય તો ફાફા મરાવે છે આ સંસારમાં અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવા માટે લોભ એક બાજુથી તરફડાવ્યા કરે છે અને બીજી બાજુ તૃષ્ણ જ્યા ત્યા ડોકીઆ કરાવી આશામા ને આશામાં રખડપટ્ટો કરાવ્યા જ કરે છેઆમાં નિરાત ક્યાંથી થાય? લેમનો છેડો આવતો નથી, લાભ થાય તે તે વધે છે લાભ ન થાય તે વરાવે છે અને તૃષ્ણા તે કદી ધરાની જ નથી એ બંનેને છેડે નજરે દેખાતો નથી. એણે સુભૂમ ચક્રીને છ ખડ મળ્યા તે બીજા છ સાધવા પ્રેરણા કરી, એણે ધવળશેઠને બાકીનાં (શ્રીપાળને આપેલા) અરધા વહાણ ઘરભેગા કરવા શ્રીપાળનું ખૂન કરવા લલચાવ્યો. એણે મમ્મણશેઠ પાસે કાળી રાત્રે નદીમાથી લાકડા ખેચાવ્યા, એણે ધન્નાના બીજા ભાઈઓને અનેક વાર લમીની વહેચણી કરવા પ્રેરણા કરી, એણે રાવણને સીતાને ઉપાડી લઈ જવાની બુદ્ધિ આપી, એણે માધવને મુસલમાનોને મદદ કરવા પ્રેર્યો, એણે અનેક રજપૂત રાજાઓ પાસે પિતાની દીકરી મુસલમાન શહેનશાહને અપાવી, એણે સિદ્ધરાજ જયસિ ને પિતાના સગા ભત્રીજાને રાજ્ય ન આપવાની બુદ્ધિથી દેશાતરમાં રખડાવવા અને પરાશ્રયમાં જોડવા દુબુદ્ધિ આપી, એણે અનેક રાજાઓને પ્રેરણા કરી આર્યભૂમિને પારકે હાથ જતી કરાવી, એણે અનેક પ્રધાને અમા-દીવાન અને કારભારીઓ પાસે મહા રાજખટપટ કરાવી, એણે ભાઈ-ભાઈમાં દ્વેષ કરાવ્યો, એણે પિતા-પુત્રને સબધુ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy