SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતસુધારસ ત્યા જે ભાવ છે તે ભાવ અહી સમજવાનો છે. આ તો મરણ વખતની વાત કરી પણ અશરણભાવ બતાવતા તે હદ કરી છે. વિચાર આયકે અચાનક કૃતાત ગગો તોહે, તિહા તો સબાઈ કેઈ દુસરો ન હોવેગે; ધરમ વિના તો ઓર સકળ કુટુંબ મિલી. જાનકે પરેતા કેઈ સુપને ન જેવેગો. લટકસલામકે સખાઈ વિના અ ત સમે, નેણમાહી નીર ભરભર અતિ વેગે; જાનકે જગત એ શાની ન મગન હોત; અંબ ખાવા ચાહે તે તો બાઉલ ન બેગો. અહી “પતા એટલે “મરણ પામેલો જાણીને એમ સમજવું. લટકસલામમિત્ર ધર્મ છે કારણ કે એને તો કઈ કઈ વાર જીવનમાં આ જીવ મળ્યો હશે નિત્યમિત્ર તો દેહ-શરીરને અને પર્વમિત્રમાં સગાવહાલાઓને તે ગણ્યા છે જે જુહારમિત્ર નહિ હોય તો આખમાથી બોર બોર જેવડા આસુ તે વખતે પડશે જ્ઞાની આવા જગતમાં મગ્ન ન થાય. આ (કેરી) ખાવાની ઇચ્છાવાળે કદી બાવળ વાવે નહિ આમાં આખા મુદ્દાનો સમાવેશ થઈ જાય છે આ આખી ભાવના રડતા રડતા ભાવવાની નથી “મારું શું થશે ? મારે કોણ? એમ મૂઝાવાનુ કારણ નથી જેને મારા માન્યા છે તેને ઓળખ, તારા સાચાને શોધી કાઢ અને જેનાથી તને આધાર મળે તેને પકડી લે બાકી તુ જેને તારા માની બેઠો છે તેમાં તારે દહાડે વળે કે તે તને અડીભડીને વબતે ટેકો આપે એવા ખોટા ખ્યાલમાં રહીશ નહિ. વાસ્તવિક રીતે વિચારીએ તો આત્માને કોઈના શરણની જરૂર નથી એ એને પિતાને સ્વાધીન સ્વામી છે, પણ વ્યવહારથી આ પ્રાણીને એવી ટેવ પડી ગઈ છે કે ટેકા માટે આધાર રાખ્યા જ કરે. એને નોકરી કરવી હોય વ્યાપાર કરવો હોય કે કોઈ કામ કરવું હોય તો તે ટેકા કેટલાના અને કોના મળશે એની ગણતરી કરશે આત્માને ઓળખાય, એની શક્તિનું ભાન થાય, એ શક્તિ દબાયેલી હોવા છતા પોતાની જ છે એ વાત એને ગોચર થાય એટલે એને પાશ્રયભાવ જતો રહે છે અને જે તે પોતાની જાત પર ટેકો રાખતા શીખી ગયો અથવા તે માર્ગે ચડી ગયો એટલે એની સર્વ ગૂંચવણ નીકળી જાય છે. એ એકલો છતા સિહ છે, એ એ છતા મ છે, એ એકલો છતા ધણીધોરી છે એ વાત આપણે ચોથી ભાવનામાં ખૂબ વિસ્તાથ્થી બેશુ પણ એણે પરાવલ બનવૃત્તિ ગ્રહણ કરી છે તે તદ્દન ખોટી છે, પરિણામ વગરની છે, સમજ્યા વગરની છે. એને કોઈ વસ્તુ કે પ્રાણ શરણ આપી શકે તેવી સ્થિતિમાં છે જ નહિ, એ વાત ૫ટ કરવાનો અને તે દ્વારા તેની આત્મપ્રભુતાનો સાક્ષાત્કાર કરાવવાને અને એ વાત વાર વાર યાદ કરી ભાવનારૂપે વાર વાર વિચારમાં લાવવાનો અત્ર ઉદેશ છે પિતે કોણ છે એ સમજવું અને જરા પણ મૂઝાવું નહિ, કોઈ બનાવથી કે કોઈ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy