SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્યભાવના (૨) મમતા-મારતારાપણાની વાત જ છોડી દે. જગતને અધ કરનાર મોહરાજાએ ઉત્પન્ન કરેલી મમતાબુદ્ધિ પ્રાણીને ખૂબ રડાવે છે અને શરણ લેવા પણ મમતાને લઈને જ દેડવું પડે છે, બાકી એને મરણ, જરા કે વ્યાધિ કોઈ ચીજ નથી મમતા રાગમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એ રાગ બ ધાવે છે. એ મમતા ઊડી ગઈ એટલે પછી શરણને સવાલ નહિ રહે પ્રાણી મમતારહિત થાય પછી તેનામાં કોઈ જુદી જ હિમત આવે છે અને શરણના પ્રસ ગની સાથે એ રમે છે એ નિર્બળતાની સામે બાથ ભીડે છે અને પૂર્ણ જુસ્સાથી આગળ વધતો જાય છે એને મારુ ધન, મારાં છોકરાં, મારા અસીલ, મારા ઘરાક એ દશા જ રહેતી નથી એટલે પછી એ તો નિષ્કટક રાજ્યનો માલિક થઈ જાય છે અને એનો રસ્તો સીધો, સરળ અને સપાટ થઈ જાય છે. (૩) તુ આ શાતસુધારસનું પાન કર. એ રસ એવો તે અભિનવ છે કે એની જોડી તને મળે તેમ નથી બીજા રસે તો ચટકા જેવા છે. અનુભવ્યા અને ઊડી ગયા, પણ આ રસ તો અખંડ નિરાબાધ શિવસુખનો મોટે ભડાર છે એની શાનિ ભેગો તેમ એ વધતી જાય, એનું પાન કરે તેમ મન પ્રફુલ્લ બનતુ જાય, એને સ બ ધ કરે તેમ આનદ-ઊર્મિ ઊછળે. શુગાર, વીર કે હાસ્ય જેવા એના ચટકા નથી એ તો એક વાર એનું પાન કર્યું એટલે પછી ગાયા જ કરે કે “અબ હમ અમર ભયે ન મરે ગે” એમાં વીજળીના ઝબકારો અને પાછળ ઘોર અ ધારી રાત નથી, ત્યાં તો મણિ–રત્નની ઝળહળતી ત છે સદેવ ચેતતી રહે તેવી એ ત છે અને એની પછવાડે આનંદ, આનંદ અને આનદ છે. એનું પાન કરતાં ધરાતા નથી, એને પીતાં પીતાં ક ટાળો આવે તેમ નથી એ અલૌકિક શાતરસનું પાન તમે રચે અને કરો તે મેળવવાના પ્રયાસમા, પાન કરવામાં અને કર્યા પછીની સ્થિતિમાં સર્વત્ર નિરવધિ આનદ છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ અશરણભાવના ગાતા ખૂબ લહેર કરી છે. તેમણે મરણને એવુ ચીતર્યું છે કે પ્રાણી એને વિચાર કરતા ઊંડા વિચારમાં પડી જાય એમણે મોટા ચકવતીને મરણ વખતે શુ થતુ હશે તેનાથી શરૂઆત કરી, મરણ પછી શુ થાય છે તે બતાવી, છેવટે ગમે તે કરે પણ મરણ છોડતું નથી અને મરણ વખતે કોઈ ટેકે આપી શકતું નથી એ બતાવી, આત્મધર્મને ઓળખી, તેને અનુસરવા વિચારણું બતાવી ત્યારપછી તેમણે ઘડપણ – જરાને આગળ કરી, પ્રાણીને તેની પાસે તદ્દન પરાધીન બતાવ્યો અને છેવટે આકરા વ્યાધિઓને આગળ કરી તે વખતે પ્રાણીની મનોદશાનો-અનાથતાનો સ્પષ્ટ ખ્યાલ આવે એના વિવેચનમાં પ્રાસંગિક વાત ઘણી કરી નાખી છે આપણે પ્રથમ અશરણુભાવનો વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કરીએ. આધાર અને આધેય તત્વને એવો નિયમ છે કે જેને આધારની જરૂર પડે તે ટે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy