SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ અનિત્યભાવના એનામાં કોઈ ગુણ હોય અને તેનું કોઈ ગૌરવ કરે એટલે કે તેને કોઈ આદર કરે અગર તેની પ્રશંસા કરે ત્યારે આ પ્રાણી લેવાઈ જાય છે. એણે કાઈ સારુ દાન આપ્યું, પછી તેને માટે કઈ માનપત્ર આપે ત્યારે આ ભાઈ પોતાને ઘડીભર કર્ણ જેવો માને છે એ કેઈ મોટા જલસાને પાર ઉતારે અને પછી એને માનપત્ર મળે એટલે ભાઈસાહેબ ઉપર ઊછળીને ચાલે છે. પિોતે કઈ સંસ્થા સ્થાપે અને એને અને પિતાની જાહેર પત્રોમાં પ્રશ સા વાચ એટલે જાણે પિતે ભવસમુદ્ર તરી ગયા એમ માની લે છે પિતે જેલમાં દેશસેવાનિમિત્તે ગયા પછી એને વરઘોડો નીકળે ત્યારે એ મૃત્યુલોકમાથી દેવ થઈ ગયો માને છે. આવા અનેક પ્રસંગો છે. નાના ભાષણના મોટા રૂપકો છાપામા આવે એટલે ભાઈશ્રી હરખાઈ જાય છે કે તે કઈ પણ કળા કે ચાતુર્ય દેખે ત્યા ભક્તિ કે આદર જરૂર બતાવે છે, પણ આ ભાઈ તેને હાર્દ સમજતો નથી અને પિતાની જ મોટાઈ થઈ હોય, પિતાનું ગૌરવ વધ્યું હોય એમ માની ઊચા-નીચો થઈ જાય છે અને જાણે કે બારણામાં ન સમાય તેટલે. પહોળો થઈ ફરે છે. પણ આ ગૌરવ ક્યા સુધી? કેટલું ? કેટલા વખત માટેનું ? અને એ ગૌરવશીલતા કેવી ? આખરે એ ગમે તેવા મેટે હાય, પિતાની જાતને એ ગમે તેટલી મોટી માનતે હોય–પણ એ છેવટે નરકીટ છે – મનુષ્યરૂપે નાનોસરખો કીડો છે, આખી દુનિયાની નજરે તદ્દન નાનું પ્રાણી છે. એની પિતાની દુનિયા એટલી નાની છે કે એ નાની વાતમાં પોતે જાણે કેવો માટે હોય એમ માની લે છે. દરેક પ્રાણી કેન્દ્ર ઘવા મથે છે અને બહુ નાના વિભાગમાં કદાચ સગોને લઈને તેને સહજસાજ ભાવ પુછાત પણ હોય, પરંતુ આખરે તે ઘણે નાનો પ્રાણી છે, બિલકુલ હિસાબ વગરને તુચ્છ પ્રાણી છે અને જેની અને તે કાળની અપેક્ષાએ કાંઈ ગણના પણ ન થાય એવો એ તદ્દન ધ્યાન ન ખેચાય તે લઘુ છે. આવા મદના વિભ્રમમાં પડેલા અને સાધારણ ગુણના ગૌરવે પિતાને મોટા માનનારા નરકીટની એ દશા કયા સુધી ચાલશે? કેટલે વખત ચાલશે? યમરાજા એ તો આકરે છે, એવો ભય કર છે અને એવો તો અક્ષમ છે કે એ કોઈને છેડતા નથી, જતા કરતું નથી, ગણતરી બહાર રહેવા દેતા નથી. જેવી એ દેવની - એના તરફ વાકી આંખ થઈ, જેવું એ દેવે એના ઉપર કટાક્ષ નાખ્યું કે એ ભાઈ ખલાસ! એના મદો સર્વ પાણીમાં 1 એના માનપત્રો સર્વ દાબડામાં ! એને એના છાપાના નામે તો કયારના ખલાસ થઈ ગયા હોય ! એ પાકી ગણતરીવાળા જમરાજ કેઈને છેડે છે ? અને ન છોડે તો તે વખતે જાતિ, લાભ વગેરેના મદો આડા આવશે? કે માનપત્રો રક્ષણ આપશે ? જવું છે એ ચાસ વાત છે અને તે વખતે આખી જિંદગીના ચિત્રપટ સિનેમાની ફિલમની પેઠે દર્શન દેવાના છે તે ચોક્કસ છે ત્યારે જ્યારે જમ બાપ એક વાકી નજર ફેંકશે ત્યારે તમારું કુળવાનપણુ ક્યા જશે અને તમારા અભિમાન ક્યા પોષાશે ? અને તમારા માનપત્રો ૧૦ જ ** છે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy