SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્યભાવના કહેવાય. એવા કેઈ દેવ કે દાનવ નથી કે જે આ પ્રાણીને મરતી વખતે આવીને, એ ચીને, દેરીને કાઈ લઈ જતો હોય, પણ અલ કારની ભાષામાં જાણે કોઈ તેવું જ બનતુ હોય એવો ખ્યાલ આપવામાં આવે છે. મરણના પુરુષાકારવર્ણનનું અહીં ચિત્ર આપવામાં આવે છે તે વિચારે. - એ જમદેવ આ વખત પ્રાણીઓનો કોળીઓ યે જ જાય છે. અજ ગામ પ્રાણીમાં સ્થાવરનો સમાવેશ થાય છે. પૃથ્વી, અપૂ, તેજસ, વાયુ અને વનસ્પતિ એ સર્વ અજગમ ગણાય છે, જે કે અગ્નિ અને વાયુ ગતિએ કરીને જ ગમ છે. જગમમા શખ, જળો વગેરે બેઈદ્ધિ, સાકડ, જૂજ વગેરે તેઈદ્રિયો, વીછી, ભમરી, તીડ વગેરે ચઉરિદ્રિો તથા છેવટે પસે કિયેનો સમાવેશ થાય છે. પદ્રિય પ્રાણીમાં ચાર મોટા વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગ તિર્ય ને આવે છે. એમાં માછલા, મગરમચ્છ વગેરે જળચર છે, હાથી, ઘોડા, ગાય વગેરે સ્થળચર છે અને પિપટ, કેયલ, કબૂતર વગેરે ખેચરે છે. એ ઉપરાંત તેમાં પેટથી ચાલનાર સર્પો (ઉર પરિસર્ષ) અને હાથથી ચાલનાર નળીઆ (ભુજપરિસ)નો સમાવેશ થાય છે. આ પચે દ્રિય તિર્યો એ થયા. બીજે વિભાગ મનુષ્યને આવે છે તે મૃત્યુ લોકના માનવી આપણા જેવા છે. મનુષ્યભવમાં કે અન્યત્ર શુભ સામગ્રી એકઠી કરી સુખને અનુભવ કરે તે ત્રીજે દેવોના વિભાગમાં આવે છે અને અશુભ કર્મબ ધ કરી હું ખનો અનુભવ કરે તે નારકો કહેવાય છે. આ બેથી પાચ ઇન્દ્રિયવાળા સર્વ જ ગમ અથવા ત્રસજીવો કહેવાય છે. જમરાજા આખો વખત આરામ લીધા વગર એ સર્વ જ ગમ અને અજ ગમ પ્રાણીઓને કળીએ કર્યા જ કરે છે. એક સમયની પણ રાહ જોયા વગર સારે યે વખત પ્રાણીઓને હાઈઆ કરતો જ જાય છે અનાદિ કાળથી એને એવી લત લાગી છે કે એ પ્રાણુઓને ખાધા જ કરે છે, પણ કદી એ ધરાતો જ નથી, એને કદી સ તેષ થતો નથી અને કદી એ પેટ પર હાથ ફેરવી હાશ કરતા નથી, એને સ્વભાવ જ એ છે હવે એ જમરાજા પોતાના હોમ આવે એ સર્વને ગળપ કર્યા કરે છે એ વાત તે આપણે દરરાજ જોઈએ છીએ મુબઈ જેવા શહેરમાં તો એણે કેટલા માણસને ખાધા તેના આકડા પણ દરરોજ છપાઈને બહાર પડે છે. - હવે એ તો એના મહેમા આવ્યા તેને જરૂર ખાય છે, પણ તુ ક્યા છે તેનો વિચાર કર્યો ? એના મુખમાં આવે એ તો વાત કરતા, બેલતા ચાલતા બધ થઈ જાય છે, પણ તારે વારે કયારે આવશે તેની તને ખબર છે ? તુ વિચાર કરીશ તો તને જણાશે કે તું પણ એની હથેલીમાં જ છે કાપ-બગલને અને હોને આતરે કેટલો છે તે તો તને કહેવાની જરૂર નથી આ ચાર-છ ઇચના આતરે તું ઊભે છે. જ્યારે એના મોમાં પડીશ એની તને ખબર નથી અને મહામાં પડ્યો કે ભુક્કા નીકળી જવાના છે એ વાતની જરા શકા પણ નથી તારે અ ત એ કૃતાંત (અ ત લાવનાર) નહિ લાવે એની કોઈ તને ગેર ટી (ખાતરી) મળી છે? તારે ને એને કાઈ દોસ્તી-સ બધ છે? તારે એની સાથે કાઈ સગપણ છે? તારા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy