SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૭ સાતમી ભાવનામાં વિસ્તારથી શુ. અત્રે પ્રસ્તુત વાત એટલી છે કે ભવાટવી ઉપર પાસે આવો આખો વખત વરસ્યા જ કરે છે. પરિ ઉપસર્ગ મૂકવામાં ભારે ખૂબી કરી છે. પરિ એટલે ચારે તરફ અથવા હમેશા એટલે એ પાચે આથવરૂપ વાદળા કઈ કઈ વાર વસે છે એમ નથી, પણ સદા વરસતા રહે છે અને ચારે તરફઆખી ભવાટવીમા વરસ્યા નાનાકર્મલતાવિતાનગહને–વળી એ ભવાટવીમાં આવીને વરસાદ વરસે છે એટલે તો નવા કર્મો આવે છે તેની વાત થઈ, પણ તે પહેલા તે અટવી અનેક પ્રકારનાં કર્મરૂપ લતા થી ખૂબ ગાઢ-ગહન થઈ રહેલી છે, એટલે કે એમાં પ્રાણીઓની સાથે અનેક પ્રકારના કર્મો લાગી રહેલા છે. કર્મોના પ્રકાર અનેક છે અને એના વિપાક પાર વગરના છે એનું આખું નાટક ચિતર્યું હોય તો પુસ્તક ભરાઈ જાય -તઢિષયક ગ્રે થોથી એ જાણી લેવું. અત્ર વાત એ છે કે–આ સ સારઅટવી ખૂબ ગીચ-ગાઢી થઈ ગયેલી છે, કારણ કે એમાં કર્મના જાળાઓ ખૂબ પથરાઈ ગયાં છે અને ચારે તરફ આડા-અવળા પડયા છે. એક વડના ઝાડની વડવાઈઓની વાત બાજુ ઉપર રાખીએ, પણ એની શાખાઓ જોઈએ અને એવા અનેક ઝાડો હોય અને એ પ્રત્યેકને શાખા-પ્રશાખા હોય ત્યારે જગલ કેવુ ઘનઘોર અને ગાઢ થઈ જાય તેનો ખ્યાલ જરૂર આવે. આ સ સારઅટવી અનેક પ્રકારની કર્મરૂપ લતાઓથી ખૂબ ગાઢ બનેલી છે. મહાત્વકારે રે ? વળી આટલેથી વાત પતે તેમ નથી આખી અટવીમા ભય કર અધકાર વ્યાપી રહ્યો છે. મહારાજાનું કાર્ય આ ધારુ ફેલાવવાનું છે. એ રાગ-દ્વેષની મારફત કપાયે, નોકપાયો અને ઇન્દ્રિયોને એટલો અવકાશ આપે છે કે પ્રાણી એની નિદ્રામાં અથવા નશામાં પડી પોતે કોણ છે અને ક્યા છે એ પણ વીસરી જાય છે અને એના વિવેચક્ષુ નાશ પામી જાય છે. “આપ વિના આ ધારૂ થાય તેવી એની દશા થાય છે અને એ અધિકારમાં ફફા મારે છે એ શુ કરે છે અને શું બોલે છે અને શે વિચાર કરે છે એનું પણ એને કાઈ ભાન રહેતું નથી એ ધારી ઘોર રાત્રિમાં અચાનક જાગી જતા દરવાજે શોધવા માટે જે ફાફા મારવા પડે છે તેવી એની દશા થાય છે. મોહરાજાને કરેલો અધિકાર એવો પ્રગાઢ હોય છે કે એ અ ધકારમાં પ્રકાશની આશા રાખવી એ ઘણી મુશ્કેલ બાબત છે. એક ભય કર જગલ છે એમાં ઝાડી, લતા, ઝાખરા, ડાળીઓનો પાર નથી, એમાં ચારે તરફ અ ધકાર વ્યાપેલો છે, એમાં મારો વાદળા ચઢી આવેલા છે અને નિર તર વરસ્યા કરે છે. એમાંથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી આવી જ સ સારઅટવી છે એમા નાના પ્રકારના કર્મની ગીચ ઝાડી છે, એમાં મોહરાજાએ વળી ખૂબ અ ધકાર ફેલાવ્યો છે, એની ઉપર આશ્રવરૂપ વાદળ વરસ્યા જ કરે છે અને એમાથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી, જડતા નથી, પત્તો લાગે તેવી સ્થિતિમાં સાધારણ રીતે નથી
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy