________________
દુઃખ–દુખાભાસને જોઈને તે રડી પડે છે. આવી રીતે રડવામાં અને હસવામાં કેટલાએ કાળ–યુગને વિતાવી નાંખ્યા તેની કોઈ ગણનાજ નથી ! તે કર્મને કતાં અને ભોક્તા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા ભલે ન હોય, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ તે આભાજ કર્મને કર્તા અને ભોક્તા છે; અને શ્રી વીતરાગ દેવ પણ કહે છે કે –“TI વિત્તા વ, કુદાય સુચ–અર્થાત સુખ દુઃખન કર્તા અને ભક્તા આત્મા તેિજ છે; એ સિદ્ધાન્તને અનુલક્ષીને જૈન સિદ્ધાતકાર અને શ્રી ભગવગીતાકાર પણ આત્માને જ પિતે પોતાના મિત્ર અને શત્રુ તરીકે ઓળખાવે છે. જેનામાં
ડે અંશે પણ બુદ્ધિની નિર્મળતા છે તેને તે એ વાત જરૂર સમજાય તેમ છે.
સુખદુઃખને કર્તા અને ભક્તા આત્મા છે એ વાત સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, પણ તે અમુક અપેક્ષાઓ. જૈન ધર્મના સિદ્ધાન્તા એકાતવાદી નથી પણ અનેકાન્તવાદી છે. અમુક અપેક્ષાએ
Tળ રમી ર ક રૂચિ, અર્થાત કરેલાં કર્મો ભેગવ્યા સિવાય આત્માનો મોક્ષ નથી, એ વાત સત્ય છે; પરતુ એથી દરેકે દરેક બાબતમાં એક સિદ્ધાન્ત તરીકે એક જ વાત ન માની બેસવી કે-કર્મનાં ફળ ભોગવ્યા સિવાય આત્માની મુક્તિ નજ સંભવે. દરેક કર્મ કાંઈ એજ પ્રકારના હોતા નથી. કોઈ કર્મબંધન શિથિલ હોય છે, અને કઈ કર્મબંધન નિવિડ–નિકાચિત હોય છે જે શિથિલ કર્મબંધને હોય છે, તે તે જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા, અંતઃકરણપૂર્વકને શુદ્ધ પશ્ચાત્તાપ, શુદ્ધ અને પ્રબળ ભાવના વગેરે સાધારા વગર ભોગવ્યેજ દૂર થઈ શકે છે, અને નિકાચિન કર્મબંધને જેકે ભગવ્યા સિવાય સર્વા-સવાશે છૂટા થઈ શકતા નથી, પરંતુ પુરૂષાર્ચ વડે, તે જે લાંબી મુદત ભોગવવાના હોય તે અલ્પ મુદતનાં, અને બજ મહાદુખદાયક હોય તે તે અલ્પ દુઃખકારક કરી શકાય છે.
-
-
-
-
-
-