________________
૮૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૨૨) (મુતિને વિષે) સ્થિતિ, (૨૩) (પુણ્યની) પુષ્ટિ, (૨૪) આનંદ, (૨૫) ભદ્ર-કલ્યાણ, (૨૬) વિશુદ્ધિ, (૨૭) લબ્ધિ, (૨૮) વિશિષ્ટ (નિર્મળ) દષ્ટિ, (૨૯) કલ્યાણ, (૩૦) માંગલ્ય, (૩૧) પ્રદ-હર્ષ, (૩૨) વિભૂતિ, (૩૩) રક્ષા, (૩૪) મોક્ષવાસ, (૩૫) અનાસવઃ કર્મબંધ રૂંધવાનું કારણ, (૩૬) કૈવલ્યસ્થાનની પ્રાપ્તિ, (૩૭) શિવ-નિરૂપદવ, (૩૮) દ્રવ્ય સભ્યત્વ, (૩૯) શીલ, (૪૦) સંયમઃ હિંસાથી નિવર્તન, (૪૧) શીલનું સ્થાનક, (૪૨) સંવર, (૪૩) ગુપ્તિ, (૪૪) (નિશ્ચયધર્મ રૂ૫) વ્યવસાય, (૪૫) ઉનત ભાવ, (૪૬) ભાવયજ્ઞ, (૪૭) ઉત્તમ ગુણને આશ્રય, (૪૮) અભયદાન, (૪૯) અપ્રમાદ, (૫૦) આશ્વાસન, (૫૧) વિશ્વાસ, (૫૨) અભય, (૫૩) સર્વ જીવોને અનાઘાત-અમારકતા, (૫૪)
ખાઈ (મનની), (૫૫) પવિત્રતા (ચિત્તની), (૫૬) અતિશય શુચિતા, (૫૭) ભાવપૂજા, (૫૮) વિમળતા, (૫૯) પ્રભા, (૬૦) અત્યંત નિર્મળતાઃ એ પ્રકારે નિજ આત્માના ગુણે કરી નિમિત અહિંસા ભગવતીનાં પર્યાય નામો છે.
એ ભગવતી અહિંસા ભયભીત ને શરણના સ્થાન રૂપ છે, પક્ષીઓને આકાશના આધાર રૂપ છે, વરસ્યાને પીવાના પાણી રૂપ છે, ભૂખ્યાને ભેજન રૂપ છે, સમુદ્રની મધ્યમાં વહાણ રૂપ છે, (ગાય-ભેંસાદિ) ચૌપદ જીવોને આશ્રયના સ્થાન રૂપ છે, રોગથી પીડાતા પ્રાણુંએને ઔષધના બળ રૂપ છે, અટવી–વગડામાં ભૂલા પડેલાને) સાથી રૂ૫ છે. એવી વિશિષ્ટતા એ અહિંસા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બીજ, હરિતકાય,