SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પુનઃ એ બીજા વલયથી કંઈક દૂર ત્રીજુ વલય છે તેમાં સેલહજાર આત્મરક્ષક દેવનાં ૧૬૦૦૦ કમળ છે, તે દરેક દિશામાં ચાર ચાર હજાર છે, માટે ચારે દિશામાં મળીને (અહિં ચાર વિદિશાઓને દિશામાં અંતર્ગત ગણીને ચાર દિશાજ કહી છે, માટે ચારે દિશામાં) ૧૬૦૦૦ કમળો છે. એ મૂળકમળથી ત્રીજું વલય થયું. આ ત્રીજા વલયનાં કમળ બીજા વલયના કમળથી પણ અર્ધ પ્રમાણમાં છે. | તિ તૃતીય વવ . પુન: એ ત્રીજા વલયથી કંઈક દૂર ચાથું કમળવલય ત્રીજા વલયના કમળથી પણ અર્ધપ્રમાણવાળા કમળનું છે. તેમાં બત્રીસ લાખ અભ્યન્તર આભિગિક દેવોનાં ૩૨૦૦૦૦૦ કમળ છે, આભિગિક દેવ એટલે સેવક દેવા, અને તે પણ મોટા માન મર્યાદાવાળા સેવકે કે જેઓ દેવીના ઉત્તમ કાર્યોમાં જોડાયેલા હેાય છે. ત વતુર્થ પૂ છ્યું || પુન: એ ચોથા વલયથી કંઈક દૂર પાંચમું કમળવલય છે, તેમાં મધ્યમ આભિગિક દેવનાં ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) કમળ છે. એ સર્વ ચોથા વલયના કમળથી અર્ધ પ્રમાણમાં છે. મધ્યમ આભિગિક એટલે ન અતિઉત્તમ કે ન નીચ એવા મધ્યમ કાર્યોમાં જોડાયેલા દે. એ પાંચમું વલય કહ્યું છે હૃતિ પંચમ વય | પુન: એ પાંચમા વલયથી કંઈક દૂર છઠું વલય છે, તેમાં અડતાલીસલાખ બાહ્ય આભિગિક દેવનાં ૪૮૦૦૦૦૦ કમળ પાંચમા વલયના કમળથી અર્ધ પ્રમાણુવાળાં છે. જે સેવકદે હલકા કાર્યોમાં જોડાયેલા હોય છે, તથા તેવા પ્રકારના માન મોભાની પણ અપેક્ષા ન હોય તે બાહ્ય આભિયોગિક દેવા કહેવાય. એ છઠું વલય જાણવું // તિ 18 વાવ || છે કમળાની સવ સંખ્યા ૧૨૦૫૦૧૨૦ છે મૂળ કમળ ૧ પહેલા વલયમાં ૧૦૮ ૪ થા વલયમાં ૩૨૦૦૦૦૦ બીજા વલયમાં ૩૪૦૧૧ ૫ માં વલયમાં ४०००००० ત્રીજા વલયમાં ૧૬૦૦૦ ૬ ઠ્ઠી વલયમાં ૪૮૦૦૦૦૦ એ રીતે છ એ વલયમાં સર્વ મળીને કમળ સંખ્યા ૧૨૦૫૦૧ર૦ (એક કોડ વિલાખ પચાસ હજાર એકવીસ) છે. એ સર્વ એકેક ભવનયુક્ત પણ છે, જેથી ભવન સંખ્યા પણ એટલી જ જાણવી.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy