SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મદ્રહાદિ વર્ણન. ગાઉની ઉંચી છે, તે ઉપર શ્રીવી નું ભવન છે, તે ભવન એક ગાઉ લાંબુ અર્ધ ગાઉ પહોળું અને એક ગાઉથી કંઈક ન્યૂન [ ૧૪૪૦ ધનુર્] ઊંચું છે. તે ભવનની દક્ષિણદિશામાં ઉત્તરદિશામાં અને પૂર્વ દિશામાં એ ત્રણ દિશામાં એકેક દ્વાર મળી ત્રણ પ્રકાર છે. તે દ્વારા દરેક પાંચસે ધનુષ ઉંચું અને અઢીસે ધનુષ પહોળું છે. આ પહેળાઈ આખા દ્વારની ગણવી, પરન્તુ કમાડની નહિ, કારણ કે એ પહોળાઈને અનુસારે કમાડની પહોળાઈ સવાસો ધનુષની હોય તે પિતાની મેળે જ વિચારવી. એ રત્નભવનના અતિ મધ્યભાગમાં પાંચસો ધનુષ્ય લાંબી પહેલી અને અઢીસે ધનુષ ઉંચી એક મટિ છે. મણિપીઠિકા એટલે એવા આકારનો એક ચિતરે, વા પીઠિકા, તે પીઠિકા મણિરત્નની છે માટે મણિપીઠિકા નામ છે, દેવપ્રાસાદામાં અને શાશ્વતમંદિરમાં ઠામ ઠામ મણિપીઠિકાનું કથન આવે છે, ત્યાં સર્વત્ર એવી પીઠિકાઓજ જાણવી. એ મણિપીઠિકા ઉપર શ્રી દેવીને શયન કરવા યોગ્ય શા છે, કે જેમાં શ્રીદેવી સુખે બેસે છે, સૂએ છે. આરામ લે છે, અને પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યનું ફળ અનુભવે છે. | મૂળ કમળને ફરતાં ૬ કમળવલયો / એ મૂળકમળને ચારે બાજુ ફરતાં એવીજ જાતિનાં બીજાં ૧૦૮ રત્નકમળે છે, અને તે દરેક ઉપર એકેક રત્નભવન છે, તે ૧૦૮ રત્નભવનમાં શ્રીદેવીનાં આભરણ વિગેરે રહે છે. આ કમળા મૂળકમળથી અર્ધા પ્રમાણવાળાં છે, જેથી કમળની, કમળના જૂદા જૂદા અવયની, ભવનની, દ્વારની, અને પીઠિકાની એ સર્વની લંબાઈ પહોળાઈ ઉંચાઈ વિગેરે યથાગ્ય અર્ધ અર્ધ પ્રમાણે જાણવું. મૂળ કમળને ફરતું સર્વથી આ પહેલું કમળવલય છે. તે તે પ્રથમ વા | પુનઃ એ ૧૦૮ કમળોથી કંઈક દૂર કમળનું બીજું વલય છે, તેમાં ૩૪૦૧૧ કમળ પહેલા વલયના કમળથી અર્ધ પ્રમાણમાં છે, ત્યાં આઠ દિશામાંથી વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં સર્વ મળીને ૪૦૦૦ કમળ દેવીના સામાનિક દેવનાં છે, પૂર્વ દિશામાં ૪ મહારાદેવીનાં ૪ કમળ છે. મહ. તરા એટલે દેવીને પૂજ્ય તરીકે અથવા વડીલને સ્થાને સલાહ પૂછવાયેગ્ય દેવીઓ, તથા અગ્નિકોણમાં અભ્યન્તર સભાના દેવનાં ૮૦૦૦ કમળ છે, દક્ષિણ દિશામાં મધ્યસભાના દેનાં ૧૦૦૦ કમળો છે, અને નૈઋત્યમાં બાર હજાર બાહ્યસભાના દેવનાં ૧૨૦૦૦ કમળે છે. તથા પશ્ચિમદિશામાં સાત સેનાપતિનાં સાત કમળે છે, એ પ્રમાણે મૂળકમળને ફરતું આ બીજું વલય છે. | સ મિતીય વક્ય છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy