SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રાયઃ કરીને અશુભ ફળ જ ભેગવવાના હોય છે. નરક ભૂમિમાં બધાએ જેને આ ચારે કરણે અશુભ ફળને ભેગવવા માટે જ હોય છે. જ્યારે ઔદારિક શરીરને ધારણ કરનારા બધાએ મનુષ્યને તથા તિયાને આ ચારે કરણે કદાચિત શુભ ફળને ભોગવવા માટે અને કદાચિત્ અશુભ ફળને ભેગવવા માટે હોય છે. એટલે કે કેટલાક જીવે જ્યારે શરીર કરણ દ્વારા દુઃખ જોગવવાના હોય છે ત્યારે તેમનાં શરીર, હાડકા, ચામડી, દાંત, આંખ, નાક અને લેહીના અસાધ્ય રોગથી ઘેરાઈ ગયેલા તેઓ મનુષ્ય અવતારમાં પણ અસહ્ય વેદનાઓને જોગવતા હોય છે, અને મનઃકરણ વડે ભયંકરમાં ભય કર માનસિક પીડાઓને ભેગવતાં એવા ઘણાએ શ્રીમતને તથા સત્તાધારીઓને તમે જોયા છે? જાણે છે? તિજોરીમાં શ્રીમંતાઈની રેલમછેલ ઉડતી હોય છે છતાં પણ તેમને માનસિક રોગે એવા લાગુ પડ્યા હોય છે કે જેનાથી – ૧ દિવસ અને રાતને મોટો ભાગ લમણે હાથ દઈને જ પસાર કરતા હોય છે. ૨ માનસિક પીડા( આધિ)ના સન્નિપાતમાં ખાવા બેસે છે, છતાં ખાવાનું ભાવતું નથી. તરસ લાગે છે પણ પાણી તેમના ગળે બહુ મુશ્કેલીથી ઉતરે છે ૩. ઘરમાં ઉંદરડીએાએ ધમાચકડી મચાવી હોય છે છતાં ઈન્કમટેક્ષના ઓફીસરોના વિચારે કે છેવટે દિલ્લી દરબારના દરોડા પાડનાર ઓફીસરની યાદ આવતાં તે બિચારા સુખે સુઈ શકતા નથી, ઘરવાળી સાથે વાત કરી શકતા નથી, ઘડીકમાં મદ્રાસ તે બીજી ઘડીએ કલકત્તા તરફ ભાગતા
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy