SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૬ઠું ઉદ્દેશક-૧ ૧૫ કર્મોના ઉદયકાળે સુખ તથા દુઃખ ભોગવવા માટેના ઉત્કૃષ્ટતમ સાધન રૂપે “કરણની પ્રાપ્તિ સૌ ને જુદી જુદી હોય છે પૂર્વભવીય પુણ્યના પ્રભાવે તથા પાપના કારણે જીવાત્માને આ ભવમાં જે સુખ તથા દુખ ભોગવવાના છે, પણ પ્રશ્ન એ થાય છે કે તે સુખ અને દુઃખને આ જીવાત્મા કયા સાધનથી ભગવશે? કેમકે આત્મા સ્વતઃ અમૂર્ત છે અર્થાત્ આકાર વિનાનો છે. ત્યારે સંસારના સ્વરૂપને યથાર્થરૂપે જાણનારા અને તે પ્રમાણે જ કહેનારા યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે–જીને સુખ-દુઃખ જોગવવા માટે ચાર કરો હોય છે. ૧. મનઃકરણ, ૨. વચનકરણ, ૩. શરીરકરણ, ૪. કર્મકરણ. આ કરણોના માધ્યમથી જ સૂફમનિમેદના જીથી લઈને ઈન્દ્ર ચકવતી અને તીર્થ કરે પણ સુખ-દુઃખના ભક્તા બને છે. કેમકે यत्र यत्र कर्मणा कर्तृत्व तत्र तत्र कर्मणा भोक्तृत्वमपि अस्ति एव । - અત્યન્ત પાપકર્મ પૃથ્વીકાયિક, અપૂકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, તથા વનસ્પતિકાયિક જીવને ચાર કરણોમાંથી કેવળ કાયકરણ અને કર્મકરણ જ હોય છે. અને બીજા કરણ એટલે વચનકરણે અને મનકરણ તે તે અનંતાનંત જીને નથી હોતું; માટે જ પિતાની અસહ્ય વેદનાઓને જીભના અભાવમાં બીજા એને કહી પણ શક્તા નથી, અને મનો.કરણના અભાવે માનસિક વિચારણા પણ તેમની પાસે હોતી નથી. આ પ્રમાણે પિતાના જ કરેલા કર્મોને કારણે સર્વથા અસ્પષ્ટ વેદનાઓને ભેગવતા તે જીવને ઘણું લાંબા કાળ સુધી ત્યાં જ રહેવાનું હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને નિકૃષ્ટતમ પાપના ઉદયે મનઃકરણને અભાવ હોવાથી બાકીના ત્રણે કરણાથી
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy