SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૧ ૫૬૧ વિચરતા હતાં. એક દિવસે પિતાના ૫૦૦ મુનિઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુરના સહસામ્રવનના ઉદ્યાનમાં પધાર્યા છે વનપાલકની આજ્ઞા (અવગ્રહ-વાચના) લઈને પોતાના આત્માને તપ સ યમમાં ભાવિત કરતા હતાં ગામમાં ખબર પડતા જ કે તેમને ધર્મોપદેશ સાંભળવા માટે આવ્યા, અને પોતપોતાને સ્થાને ગયા. | મુનિશ્વરને વ દન કરવા માટે જતી આવતી જનતાના કલાહલને સાંભળીને મહાબલકુમારે આશ્ચર્યમાં આવીને પોતાના એક દાસને પૂછયું કે : “આ કેલાહલ શા માટે છે?’ જવાબમાં દાસે કહ્યું: “ઉદ્યાનમાં ધર્મશેષ નામના અણગાર પધાર્યા છે.” આ સાંભળીને જમાલીની જેમ મહાબલકુમાર પણ રથમાં બેસીને ઉદ્યાનમાં આવ્યું અને ધર્મઘોષ નામના મુનીશ્વરને વદન– નમસ્કાર કરી ઉપદેશ સાંભળવા માટે યાચિત સ્થાને બેઠે. જનતા સમક્ષ સભ્ય ધર્મોપદેશને આપતા ધર્માચાર્યે કહ્યું કે, ઓ માનવ! પૂર્વભવના ઉત્કૃષ્ટ તપ પુણ્યાગથી મેળવેલા આર્ય ધર્મ અને આર્ય ખાનદાનમાં જે ધર્ય–ન્યાય આચરણ ન કરી શક્યા તે અધર્મ તરફ પ્રસ્થાન કરતા જીવાત્મા હિંસા-જૂઠ, ચૌર્ય, મિથુન અને પરિગ્રહમાં મસ્તાન બનીને આવનારા સેંકડો હજારો કે લાખે ભવાવતારને બગાડનાર બનશે, માટે પુરૂષાર્થ બળ કેળવીને મેક્ષાભિન દી બનવા માટે જ આગ્રહ રાખશે. અનંતસુખેથી પૂર્ણ મેક્ષ મેળવવાને માટે ઉર્ધ્વરેતા (વીર્ય. શક્તિનું ઉર્ધ્વગમન) સર્વથા અનિવાર્ય છે અને ઉર્ધ્વરેતા થવાને માટે આત્મિક સંયમ દ્વારા વિના અધોગમનને રોકવા માટે સંયમ સ્વીકારવા સિવાય બીજો એકેય માર્ગ નથી. આ કારણે જ તીર્થંકર પરમાત્માઓ, ચક્રવર્તીઓ, બળદે, તથા રાજા
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy