________________
૫૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજ નષ્ટ થઈ ગયું હોય તે અંકુત્તિ પણ કક્યાંથી હોય ? એવી રીતે કર્મોના અંકુરાઓ મૂળમાંથી જ તપશ્ચર્યારૂપી આગમાં બળીને ખાખ થઈ ગયા હોય ત્યારે તેમને જન્મ લેવાપણું નથી હોતું. अव्वाबाह सोक्ख अणु हुन्ति सासय सिद्धा
સિદ્ધના જીવ અવ્યાબાધ અને શાશ્વત સુખના ભક્તા છે. શરીર વિના સુખ કેવું ?
સમ્યજ્ઞાનની માત્રા વિનાના માણસો સમજી બેઠા હોય છે કે “સ સારમાં જે કંઈ સુખ છે તે શરીર અને ઇન્દ્રિયનું છે. પરંતુ સમજવું જોઈએ કે શરીર, ઈન્દ્રિયો અને મન પદ્ગલિક હોવાના કારણે તેમના માધ્યમથી ભેગવાતું સુખ વસ્તુતઃ સુખ નથી પણ સુખાભાસ છે.” ભાડુતી પદાર્થ, દ્રવ્ય કે આભૂષણો થોડા સમય પૂરતા જ સુખાભાસ ભલે ઉત્પન્ન કરાવે, પર તે તેમનો વિગ તે મહાન દુઃખદાયી જ હોય છે. આ પ્રમાણે જ વિજળીના ચમકારા જેટલા સમયમાં પૌગલિક સુખ પણ વિયેગાન્તરે અત્યંત અને અસહ્ય દુખપ્રદ જ હોય છે. જેમ કે વિષયવાસના થઈ અને સ્ત્રી સંગ કર્યો, ભૂખ લાગી અને ભજન કર્યું, તૃષા લાગી અને ઠંડા પાણી પીધા ઈત્યાદિક પ્રસંગેમા અજ્ઞાની, વિપરીત જ્ઞાની કે મિથ્યાજ્ઞાની સમજે છે કે—“સુખી છું.” પરંતુ સમ્યજ્ઞાની આત્મા વિષય વાસના આદિને ભયંકરમાં ભય કર રોગ તથા મહા દુ:ખ જ સમજે છે. સંસારમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે વિષયવાસનાના ગુલામે કરતાં તેના ત્યાગી મહાત્માઓ કરોડે ગણા વધારે સખી છે. ખાવાપીવાના કર્મોમાં મસ્ત બનીને મહારોગી અને