________________
૫૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંસારમાં અસંખ્યાત દ્વીપસમુદ્રોને પોતાના અનંત જ્ઞાન વડે પ્રત્યક્ષ કરનારા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી પોતાના ૧૪ હજાર ઉત્કૃષ્ટ મુનિઓ, ૩૬ હજાર સાધ્વીઓથી પરિવૃત થયેલા અને ગ્રામાનુગ્રામ પરિભ્રમણ કરતા જગજજીવોના કલ્યાણાર્થે, હસ્તિનાપુર પધાર્યા અને ગામના લોકો ભગવંતને વંદના તથા ધર્મોપદેશ સાંભળવાને માટે સમવસરણમાં આવ્યા. તેવા સમયે મહાવીરસ્વામીના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર ભગવંતની આજ્ઞા લઈને ગોચરી માટે નીકળ્યા, અને ગામના લેકેથી શિવરાજર્ષિની વાત સાંભળીને ગૌતમસ્વામીજી પણ સમવસરણમાં આવ્યા, અને શંકાનિવારણાર્થે ભગવંતને પૂછયું કે, હે પ્રભે! શિવરાજર્ષિ સંસારમાં સાત દ્વીપ અને સમુદ્રોની પ્રતિપાદન કરે છે. આ વિષયમાં આપશ્રીનું મંતવ્ય શું છે? શું સાત જ દ્વીપ છે? અને સમુદ્રો પણ સાત જ છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! શિવરાજર્ષિનું આ મંતવ્ય સત્ય નથી, પણ મિથ્યા છે આ વિષયમાં હું તે એમ કહું છું કે અસંખ્યાત દ્વીપ અને અસ ખ્યાત સમુદ્રો છે
ગૌતમ! આ કાકાશમાં જબૂદ્વીપ આદિ દ્વીપ અને લવણ સમુદ્રાદિ જે સમુદ્રો છે તે સંસ્થાન (આકાર)ની અપેક્ષાએ એક સરખા છે, અર્થાત્ ચુડીના આકારના છે પરંતુ વિસ્તારની અપેક્ષાએ અનેક પ્રકારના છે કેમકે સોને બમણ-બમણે વિસ્તાર છે, દ્વીપ કરતા સમુદ્ર, અને સમુદ્ર કરતાં કોપ ખમણ વિસ્તાર વાળા હોય છે.
આ રીતે જીવાભિગમ સૂત્રમાં કહ્યું તે પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રનું અસ્તિત્વ છે.