SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧ ૪૮૧ તે પણ બિચારા આ જ પિતાના ભવાવતારને પૂર્ણ કરી શક્તા નથી માટે જ નરકાવતાર અને એકેન્દ્રિયાવતારમાંથી નરકાવતાર સારે પણ એકેન્દ્રિયાવતાર હરહાલતમાં સારી નથી કેમકે તીર્થકર નેત્ર બાંધેલો જીવ નરકમાં જઈ શકે છે પણ એકેન્દ્રિયમાં જઈ શકતા નથી. નરકગતિમાંથી મનુષ્ય અવતારને પામેલે જીવ તીર્થકરપદને યાવત સમ્યક્ત્વને પણ મેળવી શકે છે, જ્યારે એકેન્દ્રિય જીવને માટે તીર્થકરત્વ નથી નરકમાં જનારા જ તે પિતાનુ સમ્યકત્વ સાથે પણ લઈને જઈ શકે છે, અથવા ત્યાં જઈને પણ ફરીથી સમ્યક્ત્વ મેળવી શકે છે જ્યારે એકેન્દ્રિયાવતારને ધારણ કરવા માટે સમ્યકત્વનું વમન કરવું જ પડે છે, અને જ્યાં સુધી ત્યા છે ત્યા સુધી પુનઃ સમ્યકત્વને મેળવી શકતા નથી. વનસ્પતિકષમાં જનારા કેણ? સૂક્ષ્મ નિગદમાંથી અકામ નિર્જરા દ્વારા ઉત્ક્રાન્તિ કરીને જીવો કદાચ એકેદ્રિયત્વને પ્રાપ્ત કરે છે. અથવા ઠેઠ દેવલોક કે મનુષ્યલોક સુધી પહોચી ગયેલા ભાગ્યશાળી એ અપક્રાનિત. ' કરાવડે બુદ્ધિપૂર્વક કરેલા કર્મોના ભારથી ઘણા જ વજનદાર બનેલા જીવો પણ વનસ્પતિત્વને પ્રાપ્ત કરનારા હોય છે જેમ કે દેવત્વ પ્રાપ્ત થયેલા સ્વર્ગીય દેવ પણ યદી વિષયવાસનાના કીડા બનીને પિતાનું દેવત્વ હારે છે અને વનસ્પતિત્વને પ્રાપ્ત કરે છે. દેવદુર્લભ મનુષ્યાવતારને પામેલા જીવને જ્યારે અજ્ઞાનતાને નશે જોરદાર ચલ્યો હોય છે, ત્યારે ૮૪ લાખ જીવાયોનિના જજે કરતાં શ્રેષ્ઠતમ મનુષ્ય અવતાર, શરીરની સશક્તતા, ઈન્દ્રિયેન પટુતા, આદિ સામગ્રી મળેલી હોવા છતાં ”
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy