SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ( ૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂરા કર્યા છેવટ અર્ધમાસના ઉપવાસ સાથે સંલેખના વ્રતમાં શરીરને ત્યાગ કર્યો, પણ પોતાની ભૂલે, અપરાધે, અતિચારો આદિનું ભાવ પ્રતિક્રમણ, ભાવ આલેચના કરી શક્યા નહીં એટલે કે દ્રવ્યપ્રતિકમણ, દ્રવ્ય ઉપવાસ આદિ કર્યા, પણ ભાવ કેરા ધાકર જ રહ્યા અને લીધેલા વ્રતે બરાબર નહીં પાળી શકવાના કારણે અસુરકુમાર અમરેન્દ્રના ત્રાયશ્ચિંશ દેવરૂપે ઉત્પન્ન થયા છે. અસુરકુમાર અમરેન્દ્રને આ ત્રાયશ્ચિંશ દેવ થયા, તે શું પહેલા તે ઈન્દ્રને ત્રાયશ્ચિંશ દે નહીં હતા? શ્યામહસ્તી મુનિના આવા પ્રશ્નથી ગૌતમસ્વામી પણ શંકાઆકાંક્ષાવાળા થયા છતાં તે બંને ભગવત પાસે આવીને ગૌતમ સ્વામીએ પૂછયું ? જવાબમા ભગવતે કહ્યું કે, હે ગૌતમ! ત્રાયશ્ચિંશ દેના નામ શાશ્વતા હોવાથી અમરેન્દ્રને પહેલા પણ આ દે હતા, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. ચ્યવન પામેલા દેવના સ્થાને બીજે જીવ દેવ થઇને તેના સ્થાને આવીને જન્મ ધારે છે અને તે ત્રાયશ્ચિંશ તરીકે જ ઓળખાય છે. હે ભગવત! વરેન્દ્ર બલિ ઈન્દ્રને ત્રાયશ્વિશ દે છે? હમાં જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, ભરતક્ષેત્રના બિભેલ નગરીમાં તેત્રીસ શ્રમણોપાસક હતા, યાવત્ શ્રાવકકર્મમાં શિથિલ થયા અને પંદર દિવસને સંથારે કરી ત્રાયન્નિશ દેવ થયા. શેષ અમરેન્દ્રની જેમ સમજવુ. નાગકુમાર ધરણેન્દ્રને પણ ત્રાયશ્વિશ દે છે, તે દ્રવ્યાર્થિક તયે શાશ્વતા છે અને પર્યાયાર્થિક નયે ચ્યવન થયે બીજો જીવ તેના સ્થાને દેવ થાય છે. બધાએ દેવેનું ચ્યવન એક સમયે ઘતું નથી
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy