SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્ર ધીમે ધીમે વધારેલે કુંભક હદયકમળને વિકસિત કરીને અંદરની ગાંઠનું ભેદન કરે છે. સાથે સાથે શરીરમાં બળની વૃદ્ધિ થાય છે, તથા રેચક પ્રાણાયામથી પેટની બધી બીમારીઓ તથા કફ આદિના રેગેનું શમન થાય છે. સ્વરેાદય વિજ્ઞાન–શરીરના અણુ અણુમાં આત્મપ્રદેશની જેમ વાયુ પણ વ્યાપક બનીને રહેલો છે. માટે જ શરીરનું પાંજરું જ્યારે છેડવાનું હોય છે ત્યારે આત્માની સાથે વાયુનું પલાયન પણ અવશ્ય ભાવી છે. આ કારણે જ મરવાની અણી પર આવેલા માણસના નાકના છિદ્રોમાં રૂ મૂકીને ખાત્રી કરીએ છીએ. શરીરમાં જ્યાં વાયુ રહે છે, ત્યાં જ મન પણ રહે છે. માટે જ ચત્ર ચત્ર વા: તત્ર તત્ર ઃ અને યત્ર યત્ર મન: તત્ર તત્ર વાહૂ: કહેવાય છે. માટે જ રોગીઓએ મનને જીતવા માટે પવનને વિજય અનિવાર્યરૂપે માન્ય છે. કારણ કે તે વિના મનજીભાઈ ઉપર વિજય મેળવે લગભગ અશક્ય છે. આ કારણને લઈને શરીના પવનને જીતવા માટે પ્રાણાયામ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. માળા ગણવાની હોય કે કાર્યોત્સર્ગ આદિ શ્રેષ્ઠતમ વિધિવિધાન કરવાના હોય, અથવા કુંભસ્થાપના, મૂર્તિ સ્થાપના કે દીક્ષા પ્રદાન કરવાનું હોય તે બધાએ કાર્યો પ્રાણા યામપૂર્વક જ કરવાના હોય છે. માનવમાત્રના શરીરમાં રહેલે આ પ્રાણવાયુ કોઈક સમયે નાકની ડાબી બાજુથી, કેઈક સમયે જમણી બાજુથી અને કોઈક સમયે બંને બાજુથી બહાર નીકળે છે. પ્રત્યેક માનવને નાકના એ છિદ્રો હોય છે ડાબા હાથ તરફના છિદ્રને ડાબો નાક ચન્દ્રનાડી કે ઈડા નાડી કહે છે, અને જમણા હાથ તરફના નાકને
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy