SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂર્વક ખાવી, બીજાઓને ખવરાવવી, પિઝીશન વધે તેવાં કપડા અને આભૂષણે પહેરવા આદિ સંસારના પૌગલિક પદાર્થોના ગવટાવાળાને માણસની પ્રત્યેક ક્ષણ ખાવા, પીવા, હરવા, ફરવા અને શરીરની ટાપટીપમાં પૂર્ણ થશે અને કષાયોના ઉત્પાદનમાં વર્ધનમાં મૂળ કારણભૂત ઇન્દ્રિયના ગુલામ બનેલા માણસોને કષાયભાવ કેઈ કાળે પણ એછે થાય તેમ નથી. આ કારણથી હે ગૌતમ! પૌગલિક પદાર્થોના સાધકે ચાહે ગૃહસ્થ હોય કે મુનિ હોય તો પણ સાંપરાયિકી ક્રિયાના તેઓ માલિક બનશે. સં૫રાય એટલે કષાય જ્યાં વર્તતે હોય ત્યાં સરાગતા (રતિ) કામ કરે છે અને જ્યાં રતિ આવી ત્યાં તેની બહેનપણું અરતિ પણ હાજર જ રહેશે જેમ કે વંદન કરતી સ્ત્રીને કે શ્રીમંતને કેવળ ધર્મલાભ આપવા માટે આપને ઉપ ગ કરવામાં નિખાલસવૃત્તિ હેઈ શકે છે. પરંતુ જ્યારે તે જ વ્યક્તિ ઉપર બીજીવાર આંખ માંડી તેમાં સરાગતા કામ કરે છે. ખાવા બેઠા પછી ભેજનીયાની સરસતા અને વિરસતા ઉપર ધ્યાન જવું તે સરાગતાનું જ કામ છે. ઇત્યાદિક જીવનના પ્રત્યેક પ્રસંગમાં અથવા ઉપગમાં આવતા પ્રત્યેક પદાર્થ માત્રમાં રતિ થાય તે સરાગતા અને અરતિ થાય તે સદ્વેષતા જે બંને કષાયે છે. યદ્યપિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આ ચાલુ જમાનામાં ચરાગતા સર્વથા દુeત્યાજ્ય જ છે, છતાં પણ પિતાના આત્માની ટ્રેનિંગ સરાગતા ઉપર કાબુ મેળવવાની હોય તે તે સાધક સર્વ શ્રેષ્ઠ છે અને નિકટના ભવિષ્યમાં તે સાધક માસના પંથે ચડશે એમાં બે મત નથી. ગોચરીપા કે દેવદર્શને જતાં સંયમીની આગળ, પાછળ
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy