SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શતક નવમું : ઉદ્દેશક-૩૩ છે આ ઉદ્દેશામાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાન દા બ્રાહ્મણ તથા જમાલીનું ચરિત્ર વિસ્તારપૂર્વક છે. બ્રાહ્મણકુંડ નગરમાં સમવસરણની રચના થઈ, અને ભગ વાન મહાવીર સ્વામીએ ધર્મોપદેશ આપે. આ ઉદ્દેશામાં ત્રણેનું જીવન, સક્ષેપીને મૂળ સૂત્રના અનુવાદરૂપે જ કહેવામાં આવે છે, તે આ પ્રમાણે – ઋષભદત્ત અને દેવાનંદા તે કાળે અને તે સમયે બ્રાહ્મણકુંડ નામે ઋદ્ધિ સમૃદ્ધિથી સંપૂર્ણ, હાટ હવેલીઓથી શોભતું અને ત્રિક, ચતુષ્ક તથા વિશાલ રસ્તાઓથી શોભતું નગર હતુ. તેની બહાર બહુશાલક યક્ષાયતન હંતું. તેમાં સિમ્પન્ન બુદ્ધપ્રભાથી તેજસ્વી, પ્રસિદ્ધ અને કેઈનથી પણ પરાભવ ન પામે તે ઋષભદત્ત નામે બ્રાહ્મણ હતું. જે ચારે વેદોને અપૂર્વજ્ઞાતા અને બ્રાહ્મણના બીજા ઘણા રીત રીવાજમાં કુશળ હતે. પચમહાવ્રતધારી શ્રમને પરમપાસક જીવ અજવાદિ તને પૂર્ણજ્ઞાતા પુણ્ય તથા પાપને ઓળખનાર યાવતુ પિતાના આત્માને સંયમિત કરતા રહેતા હતા. તેને દેવાનંદા નામે બ્રાહ્મણકુલ સંપન્ન ધર્મપત્ની હતી. તેના હાથપગના તળીયા સ્વાભાવિક સુકુમાલ હતાં. તેનું દર્શન સૌને પ્રિય હતું, રૂપ સુંદર હતું. શ્રમણ અને શ્રમણીઓની ઉપાસિકા તથા જીવાદિ તને જાણનારી હતી. સમય પાક્ય જીવમાત્રના તારણહાર ભગવાન મહાવીર સ્વામી તે સમયે યક્ષાયતનમાં સમેસર્યા અને બારે પરિષદા ભગવાનના ચરણમાં બેઠી છે.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy