SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૧ ૩૨૭ કદાચ દેવગતિમાં ગયે હોય તે પણ ત્યાં એ વિષયવાસનાના ભેગવિલાસમાં જ દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી દુર્ગ તિને જ માલિક બન્યું છે. મનુષ્ય અવતાર પામીને પણ મિથ્યા જ્ઞાન, ભ્રમજ્ઞાન કે પૂર્વગ્રહના કારણે પિતાને સમજી શક્યો નથી, મિથ્યાદર્શનના કારણે પિતાને જોઈ શક્યો નથી અને મિથ્યાચારિત્રને લઈ પિતાને આરાધી શક નથી પરિણામે દેવદુર્લભ મનુષ્ય અવતારને પામ્યા છતાં પણ આત્મતત્વ કે પરમાત્મતત્વને ઓળખી ન શકવાને કારણે આત્મતત્વને ભયંકર વિરાધક બનેલ આ આત્મા સંસારયાત્રાને ટૂંકી કરી શક્યો નથી. પણ અનંત ભોમાં મુસાફરી કરતે આ જીવાત્મા પિતાની અકામ નિર્જરાના લીધે ઘણા ઘણા ચીકણા કર્મો જ્યારે ભગવી લે છે ત્યારે ભવિતવ્યતાના ચગે આત્મસન્મુખ બનીને શક્તિ સંપન્ન બને છે બગડેલા શાક કે દાળને સુધારવા અને મસાલેદાર બનાવવાને માટે કેરીને આચાર ( અથાણુ ) કે લીંબુના આચારને ઉપ ગ જ કામ આવે છે. જેથી બગડેલે શાક કે દાળ સ્વાદિષ્ટ બનીને ખાનારને તૃપ્ત કરે છે. તેવી રીતે કુવાસનાના કારણે નિર જન-નિરાકાર સ્વરૂપ આપણે આત્મા પણ હિંસક, જુઠ, ચેર આદિ અશુદ્ધ થવાના કારણે બગડી ગયો હોય છે માટે જ તેની જીભમાં કડવાશ, આંખોમાં ઝેર, હાથમાં મારકાટની આદત, પગમાં અસંયમ, હૃદયમાં ક્ષુદ્રતા, મસ્તિષ્કમાં વિકાર અને ચાલ તથા રહેણી કરણીમા હિંસકતા છેઆવી સ્થિતિમાં કેઈક સમયે જાગૃત બનેલે આત્મા પોતાના ખરાબ કર્મોને સુધારવા માટે પુરુષાર્થ આદરે છે, અને જે પદ્ધતિએ આત્મા બગડેલે છે તેનાથી વિરૂદ્ધ પદ્ધતિને આશ્રય સ્વીકારીને આત્માનું શુદ્ધિકરણ કરે છે. તેને માટે સમ્યગજ્ઞાન,
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy