SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ - પર્ષદામાં બિરાજમાન પ્રભુ ચતુર્મુખે માલકેષમાં દેશના આપે છે, સૌ પ્રાણીઓ વેરઝેરને ભૂલીને, ખભેખભા મીલાવીને તેમની અમીસમી દેશનાનું પાન કરે છે. એ અમોઘ અને અમૃતમયી દેશનાનું શ્રવણ કરી કઈક આત્માઓ પિતાના જીવનને અજવાળે છે, અને ભવસાગરથી પાર પામી જાય છે. એમાં ગણધર થવા યોગ્ય આત્માઓ પણ હોય છે. પરમાત્મા તેમને ગણધરપદથી વિભૂષિત કરે છે અને તેમ કરીને તીર્થ સ્થાપના સંઘ સ્થાપના અને ગણધરપદની પ્રતિષ્ઠા કરે છે શ્રી તીર્થકરદેવે ગણધર ભગવંતના મસ્તક પર હાથ મૂકે છે, ત્યારે એ બીજબુદ્ધિના ધણ ગણધર ભગવંતમાં પૂર્વધરની લબ્ધિ પ્રગટ થાય છે અને જ્ઞાનાવરણીય કર્મ અને ક્ષપશમ થાય છે, જેથી કાચી બે ઘડીમાં દ્વાદશાંગીની રચના કરવામાં સમર્થ બને છે अत्थं भासई अरहा सुत्त गुथति गणहरा निउण । सासणस्स हियट्ठाए तो सुत्त पवत्तई ।। અર્થનું કથન શ્રી તીર્થંકરદેવો કરે છે, અને ગણધર ભગ વતો તે અર્થે શ્રવણ કરી સૂત્રની ગુ થશું કરે છે શ્રી તીર્થકર દેવેની અપેક્ષાએ અર્થ” એ આત્માગમ અને ગણધરદેવની અપેક્ષાએ “સૂત્ર” એ આત્માગમ અને અર્થ એ અનંતરાગમ ગણાય છે, અને એમના શિષ્ય માટે અર્થ એ પર પરાગમ અને . સૂત્ર એ અનંતરાગમ ગણાય છે. જ્યારે ત્યાર પછીની શિષ્ય સંતતિ માટે સૂત્ર અને અર્થ એ બંને પરંપરાગમ ગણાય છે. . માટે જ કહ્યું છે કે “સાહિત્રવિઇ. માત્માંતરવરંપર મેલાત”
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy